SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘા આવેલા હોય તો કાલગ્રહણની વસતિ ન જોવાઈ હોવાથી કાલગ્રહણ ન લે, પણ નિર્યુક્તિઓ અને સંગ્રહણીઓનો ધીમે ધીમે થી નિર્યુક્તિ પાઠ કરે. જો મોટેથી પાઠ કરે તો વેશ્યાસ્ત્રી એ મધુર સ્વર વડે ખેંચાય તથા લોકોને ખબર પડે કે સાધુઓ અહીં છે અને ત્યાં જ આજુબાજુમાં નીચ લોકો વસતા હોય તો નિંદા કરે તે સાધુઓ આવી જગ્યાએ રહે છે. આ બધા વેશ્યાસ્ત્રી, જુગુપ્સિત ૬૬૫ - કુળ વગેરે સંબંધી દોષો ન થાય એ માટે ધીમે ધીમે પાઠ કરે. માત્રુ પણ પ્યાલામાં કરીને પરઠવે. (સીધા જ જાય, તો સર્પાદિનો આ ભય રહે. તથા જો ત્યાં કીડી હોય, તો એક જ જગ્યાએ બધું માત્ર પડવાથી વધુ વિરાધના થાય. પ્યાલા વડે છૂટું છૂટું નાંખે || on તો ઓછી વિરાધના થાય. હા ! સાંજે વસતિ જોઈ જ હોત તો તો પ્યાલાનો ઉપયોગ ન જ કરાય. સીધા જવામાં કશો જ vi/ * વાંધો નથી. ઉલ્ટ પ્યાલો વાપરવામાં વાંધો છે.... પ્યાલામાં માત્ર લઈને જવું એ નવા સાધુઓ, શૌચવાદી સાધુઓ માટે તો નિ.-૨૦૪ ભારે નિંદનીય કાર્ય બની રહે. આવું જોઈને એમના દીક્ષાના ભાવ પડી જાય ... વગેરે ઘણા નુકસાનો છે. એટલે ગાઢકારણ | I વિના શેષકાળમાં પ્યાલા વાપરવાનો નિષેધ છે. અલબત્ત આજે તો અનેક કારણોસર પ્યાલા વાપરવા આવશ્યક થઈ પડ્યા છે...) ' એ રીતે સ્પંડિલ પણ શક્ય એટલી જયણા સાચવીને કરે. જો સાંજે વહેલા આવ્યા હોય અને કાલભૂમિનું પ્રતિલેખન કર્યું હોય તો તો કાલગ્રહણ લે. જો શુદ્ધ કાળ આવે તો સ્વાધ્યાય કરે. પણ જો કાળ શુદ્ધ ન આવે કે વસતિ પ્રતિલેખિત કરાયેલી ન હોય તો પછી નિર્યુક્તિઓનો પાઠ કરે. આમ રાતની પ્રથમ પોરિસી - પહેલો પ્રહર સ્વાધ્યાય કરીને જ્યારે એ પ્રહર ઘણો ખરો પૂર્ણ થયો, ત્યારે ગુરુની પાસે વ ૬૬૫T
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy