SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૧૪૯ શ્રી ઓઘ-ય ચન્દ્ર, : હવે સાંજના સમયની ભિક્ષાવેળાને = ભિક્ષાચર્યાને બતાવતા કહે છે કે – નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૧૪૯ : ટીકાર્થ : છેલ્લી પોરિસીમાં સાધુ ગોચરી માટે ફરે, અને તેમાં જો પરિલિત, પેયા અને યૂષ ને ૫૪૮ , મળે (આનો અર્થ પૂર્વની ગાથામાં જ આવી ગયો છે.) તો તે તે વસ્તુઓ મહેમાન સાધુઓ, ગ્લાન સાધુઓને માટે ઉપયોગી બની રહે. અને તે કારણથી તે ક્ષેત્ર પ્રધાન ગણાય. આમ સવાર-બપોર-સાંજ ત્રણવાર ભિક્ષા માટે ફરીને દરેક વખતે એક સાધુનું પેટ ભરાય એટલી ગોચરી લાવે. પ્રશ્ન : આ બધું કેવી રીતે લાવે ? અર્થાત્ કઈ પદ્ધતિથી લાવે ? ઉત્તર : જે ગોચરી લાવવાની જે ક્રિયામાં એક સાધુ બીજા સાધુ સાથે જોડાયેલો હોય તે એકેકસંયુક્ત આનયન કહેવાય. - એ પદ્ધતિથી ગોચરી લાવે. તથા પરસ્પરનું લાવે. આશય એ છે કે ત્રણ સાધુમાંથી બે સાધુ સવારે ફરે અને એક સાધુ ઉપાશ્રયમાં રહે. બીજી વખતે એટલે કે બપોરે સવારના બે સાધુમાંથી એક સાધુ ઉપાશ્રયમાં રહે અને બાકીનો સવારે ફરનાર સાધુ સવારે ઉપાશ્રયમાં રહેલા સાધુને લઈને ગોચરી ફરે. ત્રીજીવાર એટલે કે સાંજે તો જે સાધુ બપોરે રક્ષપાલ = ઉપાશ્રયના રક્ષક તરીકે રહેલો હતો, તે સૌપ્રથમવાર = સવારે રક્ષક તરીકે રહેલાની સાથે જાય. જ્યારે બીજો સાધુ કે જેના વડે બે વાર પરિભ્રમણ કરાયું છે, તે ઉપાશ્રયમાં રહે. વીઆ રીતે જ આ ત્રણ સાધુમાંથી એક એકની સંઘાટક તરીકે કલ્પના કરવા દ્વારા એક એક સાધુનું ગોચરી માટે બેવાર પર્યટન ah ૫૪૮ છે.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy