SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.-૨૧ શ્રી ઓધ આ વિષયમાં ઉંબાડીયું એ દૃષ્ટાન્ત તરીકે છે. જેમ તે ઉંબાડીયાઓ ભેગા મળેલા હોય તો બળે, પણ છૂટા-છવાયા ન નિર્યુક્તિ બળે. તેમ અહીં પણ સાધુઓ ભેગા હોય તો દેવતા વડે મરાય, છૂટા-છૂટા ન પણ મરાય. આમ દેવતાથી બચવા માટે ગચ્છના ભેદ કરવા પડે. અને આ રીતે અશિવના કારણે સાધુ એકાકી વિહાર કરનારો બને. ૧૨૯ IT (હવે આ જ પદાર્થ પ્રાકૃત ભાષામાં બતાવે છે.) જો ત્યાં મૂકાતો ગ્લાન આક્રોશ કરે, તો જે સમર્થ સાધુ હોય તેને ગચ્છ કહે કે, “તું અહીં રહે, અને અવસર જાણીને બીજા દિવસે આવી જજે.” એ સમર્થ સાધુની ફરજ એ છે કે તેણે તે સાધુઓને જવા માટે વિદાય આપવી. એણે વિચારવું કે “મારા માટે બધા શું | કામ મરે ?...' એ સમર્થસાધુ જયારે બીજા દિવસે આ સાધુઓ સાથે ભેળો થાય, ત્યારે બધા એક સમયે આગળ વિહાર કરે, હવે જો આ એક સાથે જવામાં તેઓને કોઈ વ્યાઘાત થાય. જેમકે આ દેવતા વૃદઘાતિની હોય, જયાં ઘણા માણસ હોય ત્યાં જ પડે. દા.ત. લાકડાનો સમૂહ બળ્યો. હવે જો તેના બે વિભાગ કરીએ...છેલ્લે એક-એક લાકડું છુંટુ કરી દઈએ તો એ બળે નહિ. (જો લાકડા બધા ભેગા જ રહે તો તો અગ્નિ બધાને બાળે. પણ બે ભાગમાં વેંચો, તો જે લાકડાઓ સુધી અગ્નિ ન પહોંચ્યો હોય તે બધા બચી જાય. હવે એ બે ય ભાગમાં અગ્નિથી બળતા લાકડા હોય, તો વળી એના પાછા ભાગો કરી જે લાકડામાં અગ્નિ ન પહોંચી હોય તે લાકડા બચાવી શકાય.) એમ તેઓ પણ જો અશિવ વડે ગ્રહણ કરાય તો એ ગચ્છના બે વિભાગ કરાય. આ R. ૧૨૯
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy