________________
ભા-૧૬
શ્રી ઓઘ-વ્યું
હોવાથી નિમિત્તનું ગ્રહણ કરી શકે.) નિર્યુક્તિ
અથવા જો આચાર્ય નિમિત્તગ્રહણ કરી શકે એમ ન હોય તો જે શિષ્ય પદાર્થોને ગ્રહણ કરવામાં અને એ પદાર્થોને ધારી | રાખવામાં સમર્થ હોય તથા નિર્વિકારી હોય તેની પાસે નિમિત્તનું ગ્રહણ કરાવવું. આશય એ છે કે જ્યારે આચાર્ય વૃદ્ધ થાય
ત્યારે હવે નિમિત્ત શાસ્ત્ર ગ્રહણ કરવાદિ એમને ઓછા ફાવે એટલે નિમિત્તજ્ઞાન પોતાના અવિકારી શિષ્યને ગ્રહણ કરાવે. = (જેથી એ શિષ્ય નિમિત્ત-ગ્રહણાદિ દ્વારા ગચ્છ-શાસનની રક્ષા કરી શકે. જો શિષ્ય વિકારી = ભોજનાદિ લંપટ હોય, તો તે જ જ નિમિત્તાનો દુરુપયોગ કરે. વળી એ નિમિત્તોનું સમ્યગુ રીતે ગ્રહણ કરવા સમર્થ ન ય બને. એટલે નિર્વિકારી શિષ્યને જ આ vr,
નિમિત્ત શાસ્ત્રનું જ્ઞાન આચાર્યશ્રી કરાવતા.) - જ્યારે તેવો કોઈ શિષ્ય પણ ન હોય અને આચાર્ય સ્વયં નિમિત્તગ્રહણ કરી શકે એમ ન હોય (કે આવડતું જ ન હોય) A | ત્યારે બીજા કોઈ જ્યોતિષી વગેરેને પૂછવું. અને એના દ્વારા ખબર પડે તો દુકાળના બાર વર્ષ પૂર્વે જ નીકળી જવું. '
ધારો કે અશિવના બાર વર્ષ પૂર્વે નહિ, પરંતુ ૧૧ વર્ષ પૂર્વે કે ૧૦, ૯, ૮....૧ વર્ષ પૂર્વે જ ખબર પડી. તો ત્યારે નીકળવું. અશિવને છ મહિના જ બાકી હતા અને એના સમાચાર સાંભળ્યા, તો ત્યારે પણ નીકળી જવું.
છેલ્લે એવું બન્યું કે છેલ્લે સુધી ખબર ન પડી અને અશિવ ઉત્પન્ન થયું તો પછી ત્યારે જ નીકળી જવું. (પ્લેગ, મોટો રોગચાળો વગેરે જો દેવકૃત હોય તો એ અશિવ ગણાય.)
| ૧૧૩ |. ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ બતાવી દીધો.
:
P
& ‘fe
+
=