SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) છે ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. અહીં એને માતા પણ ધર્મશીલ મળી અને પિતા પણ છે & ધર્મશીલ મળ્યા. આથી શ્રી પર્યુષણ પર્વ નજદીકમાં આવનાર હોઈને એ કુટુંબમાં અઠ્ઠમ તપની છે આ વાત થઈ અને એ વાત પેલા બાળકના કાને પડી. એ બાળક અઠ્ઠમ તપના સંસ્કારને લઈને તો તે આ આવ્યો જ હતો. એટલે આ વાત એના કાને પડવાથી એના મનમાં એ વાતનો ઊહાપોહ જાગ્યો છે અને એથી એનામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનના યોગે એ બાળકે પોતાના પૂર્વભવને આ જાણ્યો અને પૂર્વભવનું અઠ્ઠમનું તપ કરવાની ભાવનાને સફળ કરવાને માટે એ બાળકે પણ શ્રી જ આ પર્યુષણ પર્વનું અક્રમનું તપ આદર્યું. સંસ્કારોથી પણ જીવને લાભ-હાનિ થાય છે. સંસ્કારોની પણ અસર હોય છે. પહેલા સારા છે. હું સંસ્કાર કોઈ કોઈ વાર માણસની આખી જીવનદશામાં પલટો લાવી દે છે. પૂર્વભવથી સારા છે સંસ્કારોને લઈને આવેલો જીવ જૈન કુળને પામે તો એને ધર્મની પ્રાપ્તિ થવી સુલભ; પણ જૈન 0 કુળોમાં જૈનાચાર જીવન્ત હોય તો ! આપણાં કુળોમાં દિવસે દિવસે જૈનાચાર વધતો જાય છે કે છે Q આપણાં કુળોમાંથી જૈનાચારે વિદાય લેવા માંડી છે? વિચારજો. છે શ્રી નાગકેતુએ અઠ્ઠમ તપ કર્યો. જન્મે બહુ સમય થયો નથી. માત્ર અમુક દિવસો જ અગર 6 મહિના જ થયા હશે. એટલે શરીર કેટલું બધું સુકોમળ હોય ? આત્મામાં જ્ઞાન પ્રગટ્યું એટલે -. નીમાં એટલું બળ ક્યાં હતું ? નહિ ધાવવાથી એનું શરીર કરમાવા
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy