SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ બળદોનો અંત સમય પાસે આવ્યો ત્યારે શેઠે તેમને ચાર આહારના પચ્ચખાણ કરાવ્યા, નવકાર વગેરે સંભળાવ્યા. આથી શુભલેશ્યામાં તે બંને મૃત્યુ પામીને નાગકુમાર દેવો કંબલ અને (૨૧૦) કલ્પસૂત્રની છે શંબલ થયા. આ બંનેમાંથી એકે તે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ પ્રભુને ઉપસર્ગ કરતા સુદંષ્ટ્ર છે છઠ્ઠી વાચનાઓ આ દેવની સામે જઈને તેને પરાજિત કરીને કાઢી મૂક્યો. છે વાચના ગોશાલક (બપોરે) ત્યાર પછી પ્રભુ રાજગૃહી નગરીમાં નાલંદા નામના સ્થળે શાળવીની શાળાના એક ભાગમાં તેની રજા લઈને પહેલું મા ખમણ કરી રહ્યા. ત્યાં મંખ અને સુભદ્રાનો પુત્ર મંખલી હતો. તે બહુલ નામના બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હતો તેથી તેનું નામ ગોશાળો પડ્યું હતું. તે મખલી પુત્ર ગોશાળો એક વખત ભગવાન પાસે આવ્યો. ત્યાં ભગવાનને મા ખમણને પારણે વિજય નામના શેઠે કૂર વગેરે સરસ ભોજન વહોરાવ્યું. તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. આ આ જોઈને ગોશાળાને થયું કે, “જો હું આમનો શિષ્ય થઈ જાઉં તો ખાવા-પીવાની ખૂબ મજા આવે.' તે આથી તેણે ભગવાનને કહ્યું, ““હું તમારો શિષ્ય છું. આમ, પોતાની મેળે તે ગોશાળો ભગવાનનો શિષ્ય થઈ પડ્યો.” માસખમણનું બીજું પારણું નંદશેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજું પારણું સુનંદશેઠે ખીર વગેરેથી હું (૨૧૦)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy