SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (બપોરે) રાજાઓએ સ્વાગત કરીને પ્રભુને વાંદ્યા. ત્યાંથી ગંગા નદીને કાંઠે સિદ્ધદત્ત નામના નાવિકની નાવમાં બેઠા. તેમની સાથે એક ફેમિલ નામનો નિમિત્તિઓ બેઠો હતો. જ્યારે નાવ ઊપડી ત્યારે (૨૦૮) છે. છે ઘુવડનો અવાજ સંભળાયો, આથી તે નિમિત્તકે કહ્યું કે, “આજે આપણને મરણાંત કષ્ટ આવશે. વાચનાઓ છે પણ આ મહાત્માના પ્રભાવથી તે સંકટનો નાશ થશે.'' વાચના ગંગા નદી ઊતરતાં પ્રભુએ ત્રિપુષ્ઠના ભવમાં મારેલા સિંહના જીવ સુંદષ્ટ્ર નામના દેવે નાવને ( ડુબાડવા પ્રયત્ન કર્યો પણ તે સમયે કંબલ અને શંબલ નામના નાગકુમારોએ ત્યાં આવીને બધાને છે ઉગારી લીધા. કંબલ અને શંબલ દેવો પૂર્વભવમાં બળદિયા હતા. મથુરામાં એક ગોવાલણને ત્યાં ઊછરેલા. છે તે મથુરામાં સાધુદાસી અને જિનદાસ નામે પરમ શ્રાવિકા અને પરમ શ્રાવક રહેતા હતા. તેમણે છે બાર વ્રત લીધા હતા. તેમાં પાંચમા સ્થૂલ, પરિગ્રહ પરિણામ વ્રતમાં સર્વ પ્રકારે ચોપગાં પશુ નહિ છે રાખવાનું પચ્ચખાણ કર્યું હતું. કોઈ ભરવાડણ ગોરસ લાવીને સાધુદાસીને આપતી હતી, અને છે છે તેના બદલામાં તેને ધી મળતું હતું. આથી બન્ને વચ્ચે પ્રીતિ બંધાઈ. એક વખત ભરવાડણને ત્યાં વિવાહનો પ્રસંગ આવવાથી જોઈતી બધી વસ્તુઓ શેઠને ત્યાંથી લઈ ગઈ. આથી વિવાહ સુંદર થયો. તેથી ભરવાડ અને ભરવાડણે ખુશ થઈને મનોહર અને સમાન વયવાળાં તે બે વાછરડાં છે તેમને ભેટ ધર્યો. શેઠ-શેઠાણીને ચોપગાં પશુનો ત્યાગ હોવાથી તે લેવાની ના પાડી પણ તે ભરવાડણ હું
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy