SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ મણિ તથા સુવર્ણમય પાદપીઠવાળાં સિંહાસન હતાં. (૩) સવાર વિનાના ૧૦૮ ઉત્તમ હાથી, હું છે. ૧૦૮ ઘોડા ચાલતા હતા. (૪) ત્યાર પછી ઘંટા અને ધજા પતાકાથી શણગારેલ અને શસ્ત્રપૂર્ણ (૧૮૪). ૧૦૮ રથો હતા. (૫) પછી ૧૦૮ ઉત્તમ પુરુષો હતા. (૬) તેમની પાછળ અશ્વદળ, ગજદળ, કલ્પસૂત્રની પાંચમી વાચનાઓ રથદળ, પાયદળનાં ચતુરંગી સૈન્યો હતો. (૭) પછી એક હજાર નાની પતાકાઓથી શણગારેલા વાચના અને એક હજાર જોજન ઊંચો મહેન્દ્ર ધ્વજ રાખવામાં આવ્યો હતો. (૮) ત્યાર પછી તલવારધારીઓ, (સવારે) ભાલાવાળા, ઢાલવાળા હતા. (૯) પછી વિદૂષકો, નટો અને જય જય પોકારતા કંદર્પો હતા. (૧૦) પછી ઉગ્રકુળના રાજાઓ, ક્ષત્રિયો, કોટવાળો, માંડલિકો, કુટુંબીજનો, શેઠિયાઓ, છે સાર્થવાહો, દેવો, દેવીઓ પ્રભુની આગળ ચાલતા હતા. (૧૧) પછી સ્વર્ગના દેવો, મૃત્યુલોકના મનુષ્યો અને પાતાળલોકના અસુરો ચાલતા હતા. (૧૨) પછી શંખ વગાડનારા, ચક્ર ધારણ છે. 9 કરનારા, હળ ધારણ કરનારા, ચાટુ વચન બોલનારા, ખભા ઉપર માણસને બેસાડનારાઓ, છે છે બિરદાવલી બોલનારા ઘંટા લઈને ચાલનારા હતા. (૧૩) પછી કુળના વડીલો-સ્વજનો ચાલતા હું હતા. છે. આ બધા પ્રભુને અભિનંદતા હતા અને ““જય જય નંદા, જય જય ભદ્રા,” વગેરે મંગલ છે શબ્દો બોલતા હતા. આવા વિજયઘોષ વચ્ચે શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઈને જ્ઞાતખંડ નામે વનમાં આવ્યા. તે વનમાંના અશોક વૃક્ષ નીચે પ્રભુ આવી ઊભા.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy