SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી ઔષધિયુક્ત તેલ વડે મર્દન કરી સ્નાન કરાવ્યું. ચાર આંગળ દૂર તે નાળને છેદીને તે ખોદેલા ખાડામાં તેને દાટી તથા તે ખાડાને વૈડૂર્યમણિથી પૂરીને તેની ઉપર પાદપીઠ બનાવ્યું. પછી (૧૫૦) છે. કલ્પસૂત્રની છે તેને દૂર્વાથી બાંધી. ત્યાર પછી જન્મગૃહથી પૂર્વદિશામાં અને ઉત્તર દિશામાં, એમ ત્રણ દિશામાં પાંચમી વાચનીઓ ત્રણ કલદીગૃહ (કેળનાં ઘરો) બનાવ્યાં. પછી દક્ષિણ તરફના કલદીગૃહમાં તે બંને માતા-પુત્રને આ વાચના લઈ જઈને તૈલમર્દન (માલિશ) કર્યું. પછી પૂર્વ તરફના કલદીગૃહમાં તે બંને માતા-પુત્રને લઈમ (સવારે) જઈને સ્નાન કરાવી કપડાં તથા આભૂષણો પહેરાવ્યાં. પછી ઉત્તર તરફના કલદીગૃહમાં માતાપુત્રને લઈ જઈને, ત્યાં બે અરણીનાં લાકડાં ઘસીને, અગ્નિ પ્રગટાવી, તેમાં ચંદનનો હોમ કરીને તેની રાખની રક્ષા પોટલી બનાવી અને તે બંનેને તે રક્ષાપોટલી બાંધી. ત્યાર પછી મણિના બે ગોળા અથડાવીને, “પર્વત જેટલા લાખો વર્ષના આયુષ્યવાળા થાઓ,” એમ કહીને પ્રભુને તથા છે તેમની માતાને જન્મસ્થાનકે મૂકીને તે બધી દિકુમારિકાઓ પોતપોતાને સ્થાને ગઈ. આ પૃથ્વી ઉપર દેવોનું આગમન આ બાજુ પર્વત જેવું અચળ ઈદ્રનું સિંહાસન ચલાયમાન થયું. તેથી તે આવેશમાં આવીને “કોણે મારા સિંહાસનને ચલિત કર્યું એ વિચારથી ક્રોધે ભરાયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને છે જોયું તો જિનેશ્વર ભગવાનનો જન્મ જાણ્યો. તેથી ઇન્દ્ર ખૂબ ખુશ થયા. પ્રભુની પુણ્યપ્રકૃતિ છે (૧૫૦)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy