SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) હવે બારમા અંગનું શું કરવું ? આ અંગના જાણકાર ફક્ત ભદ્રબાહુસ્વામીજી હતા. તેથી સંઘે વિનંતીપત્ર સાથે બે જણાને નેપાલ મોકલ્યા અને જણાવ્યું કે, “દષ્ટિવાદ અંગે શિષ્યોને વાચના છે. આપીને તેને પુનર્જીવિત કરી આપવા માટે આપ અહીં પધારો.” | ગુફામાં ધ્યાનમગ્ન રહેતા ભદ્રબાહુસ્વામીજીને બારમા અંગની વાચના આપવા પધારવાની આ વિનંતી જણાવવામાં આવી. ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, “અત્યારે મને ત્યાં આવવાનો સર જ નથી, હાલ મારી સાધના ચાલે છે તેનો ભંગ હું કરી શકું તેમ નથી.” સંદેશાવાહકો પાછા આ પાટલીપુત્રમાં આવ્યા, સંઘ ભેગો થયો અને વિચારણા કરી. આવો પ્રત્યુત્તર જાણીને સંઘને ખૂબ જ દુઃખ લાગ્યું. હાલ પોતાના ધ્યાનનો વિચાર કરવાનો? કે વિશ્વમાત્રનું કલ્યાણ કરવાને સમર્થ એવા જ જ શ્રુતજ્ઞાનની રક્ષાનો વિચાર કરવાનો? ફરીથી સંઘે સંદેશ મોકલ્યો કે, “જો કોઈ સાધુ સંઘની આજ્ઞા છે માન્ય ન રાખે તો તેને કઈ શિક્ષા કરવી જોઈએ? આનો યોગ્ય જવાબ આપશો.” ( ભદ્રબાહસ્વામીજી આ સાંભળીને ચોંકી ગયા. તેમની આંખો ઊઘડી ગઈ. તે સમજી ગયા કે છે હું પોતે ભૂલ કરી છે. હું ભદ્રબાહુસ્વામીએ સંઘને કહેવડાવ્યું કે, “મારી ભૂલ છે, હવે ત્યાંથી મેઘાવી સાધુઓને અહી છે $િ મોકલી આપો. તેમને હું બારમા અંગની વાચના જરૂર આપીશ અને તે છતાં સંઘ જે ફરમાવશે તે છે (૭) આજ્ઞા માટે માન્ય છે.' આવા જવાબથી સંઘમાં આનંદ વ્યાપી ગયો. જે સાધુઓ હતા તેમાંથી
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy