SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે પસંદ કરીને ચકોર, ચપળ, વિચક્ષણ, વિદ્વાન અને સંયમી એવા ૫00 સાધુઓને નેપાળ મોકલવાનું છે L) & સંઘે નક્કી કર્યું. બાકી જે રહ્યા તે કેટલાક કહેવા લાગ્યા કે, “અમે આ ૫૦૦ સાધુની સેવામાં હું પહેલી કલમમ્ રાનક રહીશું, જેથી વધુ સમય તેઓ સ્વાધ્યાયમાં ગાળી શકે. આમ, ૫૦૦ સાધુની સેવામાં બબ્બે પ્રમાણે વાચના વાચનાઓ એ બીજા ૧૦00 સાધુઓ નેપાળ જવા માટે તૈયાર થયા. ભારે ઉમળકા અને ઉત્સાહ સાથે ૧૫૦૦ (સવારે) આ સાધુઓ નેપાળ જવા ઊપડ્યા. સંઘે ભાવભરી વિદાય આપી. આ ભદ્રબાહુસ્વામીજી રોજ સાત વાર વાચના આપતા હતા. વાચનાઓ પણ ખૂબ કઠિન હતી. છે આથી ધીમે ધીમે સાધુઓ ખસવા લાગ્યા. છેવટે એક જ મહાત્મા સ્થૂલભદ્રજી રહ્યા. તેઓ વાચના જ બરાબર લેતા. આટલું છતાં એક વાર સ્થૂલભદ્રજી ઉદાસીન બેઠા હતા. ત્યારે સૂરિજીએ પૂછ્યું, “તું શા માટે છે છે ઉદાસ જણાય છે?” છે સ્થૂલભદ્રજી - “ગુરુદેવ ! હજી વધુ વાચના આપો. આમ તો ક્યારે પૂરું થશે?” છે ભદ્રબાહસ્વામીજી- “વત્સ ! ઉતાવળ ન કર.” સ્થૂલભદ્રજી- ““પણ જિંદગીનો શો ભરોસો ?'' છે સૂરિજી - “વત્સ! તારી વાત સાચી છે. પણ હું મારા ધ્યાનની સાધનામાં ખૂબ વ્યગ્ર છું. છતાં, હવે છે તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યાર બાદ તું ઇચ્છે તેટલો પાઠ આપીશ.” અને સૂરિજીએ તેમજ કર્યું.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy