SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે કાર્ય માટે થવા લાગ્યો. તેથી દેવે ભદ્રબાહુસ્વામીજીને વાત કરી. તેઓએ સ્તોત્રના વિશિષ્ટ મહિમાનો છે. (૬) હું અપહાર કરી દીધો જેથી દેવનું પ્રત્યક્ષ આગમન બંધ થયું. હા. એવું કહી શકાય કે પરોક્ષ રીતે તો છે પહેલી કમસૂટાન આજે પણ પાંચ ગાથાનું એ સ્તોત્રજપ દેવસહાય કરે છે. વાચના વાચનાઓ સૂ આચાર્ય સંભૂતિવિજયજી ભદ્રબાહસ્વામીજીના સમકાલીન પ્રભાવક આચાર્ય હતા. એકે ઉત્તર (સવારે) આ ભારત સંભાળ્યું અને બીજાએ દક્ષિણ ભારત સંભાળ્યું. આમ, બન્નેએ ભારતભરમાં જૈનશાસનનો વિજયડંકો વગાડ્યો. એક વખત બાર વર્ષનો દુકાળ પડ્યો. સાધુઓને પણ અન્નજળનાં ફાંફાં પડવા લાગ્યાં. સાધુઓ એ પણ પોતાનો આચાર સાચવવા માટે દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ભદ્રબાહુસ્વામીજીને પાલ ગયા. છે ત્યાં બાર વર્ષે સિદ્ધ થાય તેવા મહાપ્રાણ નામના ધ્યાનની સાધના શરૂ કરી. આ બાર વર્ષના છે દુકાળમાં કેટલાક સાધુઓ કાળધર્મ પામ્યા. બાર વર્ષ પૂરાં થયાં. જે સાધુઓ બચ્યા તે બધા છે પાટલીપુત્રમાં ભેગા થયા. સહુને વિચાર આવ્યો કે જેટલું શ્રુતજ્ઞાન બચાવાય તેટલું બચાવી લેવું. છે તે વખતે ધારણાશક્તિ તીવ્ર હતી, પણ દુષ્કાળને અંગે સ્મરણશક્તિ ક્ષીણ થઈ હતી. છતાંય જેને હું @ જેટલું યાદ હોય તે બધું અક્ષરશઃ એકત્રિત કરવામાં આવ્યું. જેને જે યાદ હતું તે બધું ટુકડે ટુકડે જોડતા ગયા. તેથી ૧૧ અંગ તો તૈયાર થઈ ગયાં પણ બારમું અંગ દૃષ્ટિવાદ અતિ ગહન અને કઠિન હતું. તેની ધારણા કોઈને રહી ન હતી.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy