SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા સિદ્ધાર્થે આ કરુણ સમાચાર સાંભળ્યા છે તે પણ દિ મૂઢ થઈ ગયા. રાજમહેલમાં આ છે વાત પ્રસરી ગઈ. પછી તો સમગ્ર નગરમાં ચોતરફ સન્નાટો છવાઈ ગયો. બધા શોકાકુલ થઈ (૧૩૨) છે. કલ્પસૂત્રની ( ગયા. નાટક, ચેટક, ગીત-સંગીત, રાસ, ખેલ વગેરે બંધ થઈ ગયાં. સર્વત્ર શુન્યતા વ્યાપી ગઈ. ચોથી વાચનાઓ તેમજ સૌનાં મુખ ઉપર ઉદાસીનતાનાં કાળાં વાદળાં ઊમટવાં લાગ્યાં. વાચના એટલામાં શ્રમણ ભગવાન મહાવીરે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને બની ગયેલી વિચિત્ર છે (સવારે) આ પરિસ્થિતિને નિહાળી. તે જોઈને વિચાર કરવા લાગ્યા, ““હવે શું કરવું ? અથવા કોને કહેવું ? આ મોહની ગતિ જ આવી છે. આ મેં શું કર્યું? મેં તો માતાના સુખને માટે કર્યું પણ તે તો દુઃખનું કારણ એ જ બની ગયું !' “જેવી રીતે સંસ્કૃતમાં ‘દુષ' ધાતુનો ગુણ કરવાથી “દોષ' થાય છે તેવી જ રીતે મેં આ આ સુખને [ગુણને] માટે જે કર્યું, તેથી ઊલટું દુઃખ [દોષ] જ પેદા થયું !” આવું વિચારીને તેમણે શરીરનો એક ભાગ હલાવ્યો. ભગવાને જોયું કે પંચમ-આરાનું ભાવિ જ વિષમ જણાય છે કે સારું કરવા જતાં ય જીવોને હું ઊંધું પડશે. તે વખતે ભગવાને પ્રતિજ્ઞા કરી કે, “મારાં માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું દીક્ષા જ છે નહીં લઉં.' [આનો ભાવ એ છે કે, માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી જ હું સંસારમાં રહીશ.] આવી પ્રતિજ્ઞા કરવા પાછળ કારણ હતું. તે આ પ્રમાણે છે (૧૩૨)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy