SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશકદશાંગ સાનુવાદ | ૨ | ##### ### હતું-ઈત્યાદિ વર્ણન જાણવું. તે કાળે અને તે સમયે આર્ય સુધર્માસ્વામી સમયસર્યા. તે સુધર્માસ્વામીના જયેષ્ઠ અંતેવાસી આર્ય જબૂસ્વામીએ ઉપાસના કરતા આ પ્રમાણે પૂછયું–હે ભગવન ! જે યાવત્ ઉતમાર્થ-નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથા નામે છઠ્ઠા અંગને આ અર્થ કહ્યો છે, તે ઉપાશકદશા નામે સાતમાં અંગને નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે શો અર્થ, કયો છે ? હે જબૂ! યાવત્ ઉત્તમાર્થને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે ઉપાસકદશા નામે સાતમા અંગના દશ અધ્યયને કહ્યાં છે. તે આ પ્રમાણે-આનન્દ ૧, કામદેવ ૨, ગૃહપતિ ચુલનીપિતા ૩, સુરાદેવ ૪, ચુલશતક ૫, ગૃહપતિ કુડકેલિક ૬, સાલપુત્ર ૭, મહાશતક ૮, નંદિનીપિતા ૯ અને સાલિહીપિતા ૧૦. તે આ પ્રમાણે-ઉપાસકોનું અનુષ્ઠાન અહીં અભિધેય છે, તેનું જ્ઞાન થવું તે શ્રોતાઓનું અનન્તર–સુરતનું પ્રયોજન છે અને શ્રાવકના અનુષ્ઠાનને બંધ કરવો તે શાસ્ત્રકારોનું અનનતર પ્રયોજન છે. શાસ્ત્રમાં સંબધ બે પ્રકારના ટહ્યો છે. ઉપાયોપેય કાર્યકારણુભાવ અને ગુરુપર્વકમલક્ષણ તેમાં કાર્યકારણભાવ સંબંધ શાસ્ત્રના નામની વ્યુત્પત્તિના સામર્થ્યથી કહ્યા છે. જેમ કે આ શાસ્ત્ર કારણ છે અને તેથી શ્રાવકોના અનુષ્ઠાનનું જ્ઞાન થવું તે કાર્ય છે. ગુરુપર્વલક્ષણે સંબધ સાક્ષાત્ બતાવતા સૂત્રકાર કહે છે ૨ “તેણુ કાલેણુ તેણુ સમણુ” ઈત્યાદિ સૂત્ર જ્ઞાતાધર્મ કથાના પ્રથમ અધ્યયનના વિવરણને અનુસારે જાણવું. પરન્તુ “આનન્દ ઈત્યાદિ શ્રાવકના નામ છે. તેમાં આનન્દ નામે શ્રાવકની હકીકત સબન્ધી અધ્યયન આનંદ અધ્યયન ## * *** *
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy