________________
પર્યુષણ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન | ૩ |.
છે એવા સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા મુમુક્ષ એવા ભવિ એ દુઃખ ઉત્પન્ન કરવામાં કારણ એવા કર્મોને જડમૂળથી ઉખેડી નાખવા માટે સમર્થ એવું જિનેશ્વરદેએ કહેલ ધમકતવ્ય કરવું જોઈએ. પર્વ દિવસોમાં જિનેશ્વર પ્રભુએ કહેલ ધર્મ વિશેષતાએ કરવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મનુષ્યભવ વિગેરે દુલભ એવી સર્વ સામગ્રીને પામીને સદા ધર્મ કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. જીને પર્વનું આરાધન શુભ આયુષ્ય બંધાય એ માટે છે, તેથી પર્વ દિવસમાં સમ્યગૂ દયાન, દાન, શીલ, તપ વગેરેમાં મન સ્થાપવું જોઈએ. તેરા એથી મહિનામાં બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ, પૂનમ અને અમાસ એ તિથિઓ સામાન્ય દિવસો કરતાં વિશેષપણે ધર્મકાર્ય કરી આરાધવી જોઈએ. એમાં પણ ચતુઃ૫વ સ્વરૂપ આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસ શિ એ ચાર પવતિથિઓ હોવાથી વિશેષપણે ધર્મકાર્ય કરી આરાધવી જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે
ચાર પર્વ સ્વરૂપ આઠમ, ચૌદસ, અમાસ અને પૂર્ણિમાને, આરંભને મુકી દઈને શ્રેષ્ઠ ભાવનાકી વાળા શ્રાવકોએ સદા અવશ્ય ધર્મકાર્યથી સેવવી-આરાધવી જોઈએ. શા
જેમ માસિક પર્વો છે, તેમ વર્ષમાં પણ અત્યંત વિશેષ પવિત્ર ચાતુર્માસિક સાંવત્સરિક વિગેરે પર્વો છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org