SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ | અષ્ટાહિક | વ્યાખ્યાન મલતી રહે તેવી પ્રવૃત્તિઓ કરવી. તથા જ્ઞાનવૃદ્ધિ માટે સક્શાસ્ત્રોને લખાવવા અને તેનું રક્ષણ કરવા માટે તેવા પ્રકારના જ્ઞાનભંડારાદિ કરાવવા. જ્ઞાનની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ એવા ધન્ય આત્માઓ સર્વદુઃખોથી મુક્ત થઈ સર્વ સુખોને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન એ સ્વાધ્યાય નામના અત્યંતર–તપને એક પ્રકાર છે, અને એ કર્મનિર્જરા કરાવનાર હોવાથી સમ્યગશાનની આશાતના ટાળવા પૂવક વૃદ્ધિ કરવામાં સતત પ્રયત્નશીલ રહેવું. વળી મોક્ષ મેળવવા માટે મુમુક્ષુ આત્માઓએ સમ્યગદશનની વિશુદ્ધિની વૃદ્ધિ માટે સર્વજ્ઞ Rિ ભગવતેના ધર્મની આરાધનાની વિધિઓમાં કુશલપણું પ્રાપ્ત કરી સુદેવ–સુગુરુ અને સુધમની આરાધના સ્વયં સારી રીતે કરવી અને બીજાઓને એવી આરાધના કરવા માટે પ્રેરણા આપવી, કરાવવી, Aિ સહાય કરવી, તથા ધર્મની આરાધના કરવા માટે પરમસાધન ભૂત એવાં જિનાલયે, જિનપ્રતિમાજીઓ, Vિ ઉપાશ્રયે, જ્ઞાનભંડાર વગેરે બનાવવા અને તે ધમઆરાધનાના સાધનની રક્ષા કરવી. શક્તિ |K પ્રમાણે બીજાઓને એ માટે પ્રેરણા આપી એવા સાધનો બનાવરાવવા અને તેની રક્ષા કરવી. તેમજ સર્વજ્ઞ એવા જિનેશ્વરદેવના દર્શનની ઉન્નતિ કરનારાં સત્કાર્યો કરવા વડે જગતમાં જૈનશાસનની પ્રસિદ્ધિ અને પ્રભાવ વધે તેવું કરવું. તથા જંગમતીર્થ એવા શ્રમણ ભગવતે તેમજ સ્થાવરતીર્થ એવા શ્રી શત્રુંજય, સમેતશિખર અને ગિરનાર વગેરે તીર્થોનું નવનિર્માણ કરવું, જીર્ણોદ્ધાર કરાવવા, || ૬૮ | Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy