________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
* ૧ર૩ii
છામાં રહેલ સવરૂપણું અને સદર્શિપણું ક્ષાયિક ભાવે તેમજ જીત્વ પારિણમિકભાવે પ્રવતે છે એ પણ કહેલ છે. મોકા છે એટલે થોડા કૃત્રિમ નપુસકે, તેથી સંખ્યાતગુણી સ્ત્રીઓ, અને સ્ત્રીઓથી સંખ્યાતગુણા પુરુષે એક સમયમાં મોક્ષે ગયેલ છે એ વાત પણ કહેલ છે. આ નવ | પ્રકારે જેમાં છે એ મોક્ષ છે એમ શ્રી સવજ્ઞ જિનેશ્વર દેવાએ કહેલ છે.
આત્માને મોક્ષ છે એમ ચોક્કસ થયું તેથી શરીરમાં રહેલે છતાં શરીરથી ભિન્ન એવો આત્મા પણ છે જ. મોક્ષ છે તેથી આત્મા છે તે નિત્યજ છે, નાશ પામતો નથી. જગતમાં જેનું જે મરણ દેખાય છે. તે શરીરમાં રહેવાની મર્યાદારૂપ જીવનું આયુષ્યકામ પૂર્ણ થતાં શરીરમાંથી જીવ નીકળી જાય છે, તેને મરણ કહેવાય છે. એક શરીરમાંથી નીકળેલ આત્મા જ્યાં સુધી સંપૂર્ણ કર્મોને ક્ષય ન થાય ત્યાં-સુધી બીજા શરીરને ધારણ કર્યા જ કરે છે. દેવ, મનુષ્ય, તિય"ચ અને નારકીના રૂપ આત્માના અનિત્ય પર્યાય છે, દ્રવ્યથી આત્મા અક્ષય અખંડિત છે, અનાદિ કર્મોના વેગે આત્માને જેના ફળ ભોગવવા પડે છે તેવા કર્મોને કર્તા આત્મા પોતે જ છે. પિતે કરેલા કર્મોથી નરકાદિ ચારે ગતિઓમાં ભટકતે આત્મા કર્મોના ફળને પણ પિતે જ ભગવે છે, મોક્ષ છે તેથી સર્વ કર્મોથી મુક્ત બની આત્મા પોતે જ સંસારમાંથી છૂટી કરીને મોક્ષમાં વસે છે. અને મકા છે એટલે મોક્ષ પ્રાપ્ત કરવા આત્મા માટે સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સંવર તથા નિર્જરા
+ ૧૨૩
in Education international
For Persona & Private Use Only
www.jainelibrary.org