SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ-૨ પહેલવ આઠમા Jain Education Intel સ્તુતિ કરવા લાગ્યા કે “ કૃપાનિધાન ! તમે ધન્ય છે, તમારો અવતાર પણ ધન્ય છે. તમારૂ ચરિત્ર પણ પ્રશ'સનીય છે. આજે તે આ મારી જેવા ગરીબ ઉપર મેાટી કૃપા કરી છે, સંસાર કૂપમાંથી મને તમે આજે તાર્યાં છે, કારણ કે મુનિના દર્શનથી જ કરેડા ભવમાં કરેલા પાપના નાશ થઈ જાય છે, વળી ફરીથી મારા પર કૃપા કરશે.” આ પ્રમાણે સ્તીને તથા નમીને સંપૂર્ણ મનેાથવાળો તે થયા. સાધુમડારાજ પણ ‘ધર્મ લાભ' રૂપ આશીષ આપીને પાછા વળ્યા. દુર્ગં તપતાકા પણ વારવાર મુનિદાનને અનુમેદા ઘેર આવ્યા. ત્યાં ગૃહકાર્યમાં પ્રવૃત્ત થયા, પરંતુ પુલકિત હૃદયવાળા થઇ ને મુનિદાનને વારંવાર સંભારવા લાગ્યા, આશ્ચયથી ચકિત થયા હોય તેમ મનમાં વારંવાર તેનું ધ્યાન કરવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે અહા ! મારા ભાગ્યના યોગથી અચિતિત અને ન સ‘ભવે તેવા કેવા બનાવ અની ગયા ? આ નિસ્પૃહીમાં અગ્રેસર મુનિમહારાજાઓને ઘણા મોટા શેઠીઆએ ભિક્ષા માટે નિમત્રો છે; તે પણ કોઈકને ઘેર જ જાય છે, તેમાં પણ ઘણાને ત્યાંથી તે કાંઇ ગ્રહણ કરતા નથી, કોઈ ભાગ્યવતને ઘેરથી ભિક્ષા ગ્રહણ કરે છે. કોઈની તો સામું જ જોતા નથી. આવા મહાપુરૂષે મારી જેવા ૨'કના આમ ત્રણ માત્રથી જ મારૂ વચન સ્વીકાર્યું, અને મેં આપેલ દાન પ્રસન્નતાથી ગ્રહણ કર્યું. અહા ! મારા મડાભાગ્યના ઉદય થયા. આજથી મારૂ દુતપણુ નાશ પામ્યું.” આ પ્રમાણે સુપાત્ર દાનની વારંવાર અનુમેદના કરતાં તેણે ઘણું વિશેષ પુણ્ય બાંધ્યું. તે વખતે તે શેઠને ત્યાં ધનસુંદરીના પિયરીયાના સંબંધીના ઘરે વિવાહ ઉત્સવ હતા. ત્યાંથી જમવાનુ` નાશ્રુ આવ્યું હતું. વળી તેના કુટુંબમાં પણ લગ્ન હાવાથી તેને ઘેર જમવા જવાનુ પણ આમંત્રણ હતું, તેથી શેઠ વિગેરે પોતાના કુટુબીને ઘરે જમવા જવા તૈયાર થયા ત્યારે ધનસુંદરી For Personal & Private Use Only ILLY TO BROT ૩ ૧૨૦ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy