SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પહેલવ આઠમા BOTTO Jain Education International મોકલશે નહિં, પરંતુ તારી સાથે મારે પ્રીતિ ઘણી છે, તેથી આ ઉત્તમ સુખડી લે અનેચિત્તની પ્રસન્નતાથી તે ઘેર જઈને ખાજે.” આમ કહીને સ્નેહથી તેણે સારી રીતે તૃપ્ત થાય તેટલી ઉત્તમ સુખડી તેને આપી. તે લઇને તે શેઠને ઘેરથી નીકળ્યા. માર્ગોમાં આવી અદ્ભુત સુખડી જોઇને તે વિચારવા લાગ્યા કે–“અહા ! આજે મારે મનેરથ પૂર્ણ થાય તેવા અવસર છે, કારણ કે આહાર નિર્દોષ, પ્રશસ્ત અને શુદ્ધ છે, પરંતુ એવું મારૂ ભાગ્ય કયાંથી હાય કે આ અવસરે સાધુમુનિરાજના સચાગ મળે, જો યોગ થાય તે ભક્તિથી હું. આ પકવાન્ન મુનિરાજને વહેારાવુ અને તે કૃપા કરીને આ વસ્તુને ગ્રહણ કરે. આવુ` માગ્યા મેહુ વરસવાનું કેવી રીતે બને ?” આ પ્રમાણે વિચારતા અને માર્ગમાં આમ તેમ જોતા દાન દેવાની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થતા તે ચાલ્યા જતા હતા, તેવામાં તેના પ્રબળ પુણ્યના યાગથી એક મહાતપસ્વી મુનિ તપસ્યાને પારણે ગોચરી માટે નગરમાં ભમતા તેના જોવામાં આવ્યા. ચંદ્રને જોઈને ચકાર રાજી થાય અને ચઢેલા મેઘને જોઈ ને મેાર રાજી થાય તેવી રીતે અતિશય ટુના સમુહથી ભરાયેલા હૃદયપૂર્વક ઉલ્લસાયમાન થયેલા રામાંચવાળા તે ઉતાવળે સાધુની સમીપે જઇ એ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે–“સ્વામિન્ ! કૃપાનિધાન ! આ ગરીબ સેવક ઉપર કૃપા કરીને આ શુદ્ધ આહાર ગ્રહણ કરો, શંકાદિક ઢાષથી રિહત હાવાને લીધે આ આહાર આપને ગ્રહણ કરવા ચાગ્ય છે, તેથી પાત્રને પ્રસારે।, આહાર ગ્રહણ કરો અને મારો નિસ્તાર કરો.” તેની આવી વિનંતી સાંભળીને તે સાધુએ પણ નિદુષિત આહાર જાણીને તથા તેના ઉગ્ર ભાવ ઢેખીને પાત્ર પ્રસાયું. તેણે પણ નિધાન મળ્યું હોય તેમ અતિશય હષઁના ભારથી ભરેલા હૃદયવાળા થઈને તે ખધી સુખડી એક સાથે જ For Personal & Private Use Only વહેારાવી દીધી. પછી તે <U&TE &TE ૩ ૧૧૯ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy