SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમો ૫૯લવ | નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણે પહેરીને સુખાસનમાં–પાલખીમાં અથવા તે રથમાં બેસીને તે બહાર નીકળતો એક દિવસ તેના કેઈ બાળ વયના પ્રિય મિત્રો તેને પૂછયું કે “અરે શેઠ ! હમણા તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભગવૃત્તિ કેવી રીતે થઈ?” ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીક્ત કહીને તેણે ઉત્તર આપે. તે સાંભળી કેટલાક ઉત્તમ છે બોલ્યા કે “અહો ! નિઃસ્પૃહ એવા મુનિની દેશના વડે કે પ્રતિબોધ પામતું નથી ? આમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતે શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે કાળકુમાર, દ્રઢપ્રહારી, ચિલતિપુત્ર, ધનસંચય શેઠ વિગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પિષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર, મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિમહારાજની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા હતા અને તેજ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તો આ શેઠમાં તે એ દોષ કયાં હતે ? માત્ર કૃપણુપણું જ (કંજુશાઈ) હતું, તે મુનિના ઉપદેશથી તેને જાણ્યું; પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી ચૂંટેલી કૃપણુતા નાશ પામી ! આપણુ જેવાની તેવી મતિ (બુદ્ધિ) કયારે થશે” આ પ્રમાણે ઉત્તમ જીવો તેની સ્તુતિ કરતા હતા. કેઈ વળી બેલતા હતા કે:-“આનું આયુષ્ય હવે અપ રહ્યું જણાય છે, જેથી જન્મને સ્વભાવ પણ તેને ફરી ગયે-સ્વભાવપલટે થઈ ગયે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય, ત્યારે આયુષ્ય અ૯૫ (ડુ) બાકી રહ્યું છે તેમ સમજવું.” આ પ્રમાણે જેના મનમાં જેમ આવતું તેમ સર્વ કઈ બોલતા; ઘણા માણસેના મેઢા બંધ કોનાથી થઈ શકે છે? હવે એક દિવસ તે કૂટધનકર્મા (ટે ધનકર્મા) રાજદરબારમાં ગયે, અને બહુ Jain Education Internal For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy