SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે ૫ લવ કૃપમૃતાનાં હૈષર્થી મેં કાંઈ પણ આપ્યું નથી, ભગવ્યું નથી, માત્ર દીન પુરૂની જેમ દુઃખે ભરાય તેવા જઠર (પેટ)ની પૂર્તિજ કરી છે, વળી મેં ભગવ્યું નથી, અને પુત્રાદિકને ભેગવવા પણ દીધું નથી. કીર્તિ (હેતુ) માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન દુઃખી, નિરાધારને ઉદ્ધાર પણ કઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.” આ પ્રમાણે કલ્પના કરીને હું અહીં આવેલો છું. અરે પુત્રો ! મુનિનાં વચન સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓને ઉપકાર છે. કૃપણુતાના દેશથી અત્યાર સુધી જે કાળ ગયો તે બધે તે દુર્ગતિનું પોષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યું છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારે થયે છું; તમે તે સુપુત્ર હેવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી સમય પસાર કર્યો છે; તેથી હે પુત્ર ! ધનાદિ સર્વ પાપના અધિકરણો હોવાથી તે સર્વને બહુ દુખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે ધનાદિકને સુપાત્રમાં વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તો કેવળ અનર્થને ઉપજાવનારજ થાય છે, તેથી હવે દીન જનેને ઉદ્ધાર, સુપાત્રનું પિષણ, કુટુંબી જનેની પ્રતિપાલના (સંભળ) વિગેરે કરવાવડે હુ ધનનું ઉત્તમ ફળ મેળવીશ; તેથી તમને પણ દાન અને ભેગાદિકમાં જે ઈરછા હોય તે મને કહેવી, તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી રજા-આજ્ઞા છે. ફરીથી પૂછવું નહિ, હું તે હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગુલ રહીશ.” આ પ્રમાણે કહીને તે છે ટે ધનકર્મા દિનજનો વિગેરે સર્વને ઇચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સ્વામિભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઈચ્છાથી પણું અધિક આપવા લાગે. આ પ્રમાણે થોડાજ દિવસમાં આઠ કરેડ સેનામહોરો તે કપટી શેઠે વાપરી નાખી ૩ર૬ Jain Education Inter PAww.jainelibrary.org For Personal & Private Use Only u
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy