SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ-૧ પલ્લવ સાતમે 38888888888888888888 મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભે રહ્યો. રાજા પણ નવી જાતની મહા મુલ્યવાળી તેની ભેટ જેઈને બહુ રાજી થયે, અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગ્યો કે “અહો શેઠ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ? પહેલાં તે લોકો હંમેશા તમારા કૃપણુતાના દેષની જ વાત કર્યા કરતા હતા અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભોગ વિગેરેમાં ઉદારતાનીજ વાતે સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચે સાચું કહો.” એટલે તે કપટી શેઠે પૂર્વે કહેલી કપિત મુનિ મહારાજની દેશના વિગેરેથી પ્રતિબંધ થવાના કારણરૂપ થયા હતા તે વૃત્તાંત કહી બતાવ્યું. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો કે-“અહો ! જીવની ગતિ અચિંતનીય છે. સર્વજ્ઞ વિના કેઈ તે ગતિને જાણી શકતા નથી.” આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું કે-“અમારા લાયક જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શંકા રાખતા નહિ” વિગેરે કહી તેને સંતોષીને વિસર્જન (રજા) કર્યો. તે પગુ પ્રણામ કરીને ઉઠશે, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે-“અહે ! દાનવડે શું થતું નથી ? દાનથી દે પણ સાનુકૂળ થાય છે, તે પછી મનુષ્યની તે શી વાત ?” આ પ્રમાણે વિચાર કરતે તે ઘેર આવ્યું. આ પ્રમાણે કુટ (કપટી) ધનકર્મા શેઠની દરેક ઘર, દરેક રસ્તા ઉપર, દરેક નાના મોટાં ગામમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં અર્થાત્ તે સર્વત્ર વિખ્યાત (પ્રખ્યાત) થઈ ગયો. હવે જે ગામમાં મૂળ (સા) ધનકર્મી ગયેલ હતા, તેજ ગામમાં કઈ યાચક કૂટ ધનકમ પાસેથી માગીને ઈચ્છાથી પશુ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને કૂટ ધનકર્માની પ્રશંસા કરતા પિતાને ગામ જવાની ઈરછાથી આવ્યો. રસ્તામાં એક શેઠની દુકાન ઉપર મૂળ (સા) ધનકર્મા બેડ હતું અને વ્યાપારાદિકની વાતો 说免税税税税洛院秘恐税税税税税匆匆匆论因陀稳稳因為 ૩ર૮ www.ainelibrary.org For Personal & Private Use Only Jain Education Intem
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy