SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છઠ્ઠો પલ્લવ Jain Education Int મહારાજ આજ્ઞા આપશે, તો આ ગ્ઢા પણ બુદ્ધિકૌશલ્યથી પ્રગટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મત્રીએ કુશળ અને શાસ્ત્રપારંગત દ્રષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણ્યું શું રહેવાનુ છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હાય તે પણ બુદ્ધિવડે જાણી શકાય છે, તેથી આ અમારી વાત જો આપના ચિત્તમાં ઉતરે, તે આ ખાખતનું રહસ્ય શેાધીને અમે પ્રગટ કરવાના પ્રયાસ કરીએ.” આ પ્રમાણે મંત્રીએએ કહેલી સ` હકીકત સાંભળીને રાજા ખેલ્યુંાકે-“હમંત્રીએ ! જો તમારી આવી બુદ્ધિની કૌશલ્યતા હાય તે બધી વાતની તપાસ કરીને રહસ્ય પ્રગટ કરો,” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તરતજ ત્રણે સ્ત્રીઓને ખેલાવીને મત્રીએએ પૂછ્યું કે—“તમે કયે સ્થળેથી અત્રે આવી છે ? તમારૂ કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારૂં ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી, કે જેને લીધે તમારે અત્રે આવવુ પડયુ...? આ બધા તમારા વૃત્તાંત જેવા બન્યા હોય તેવા સાચેસાચા કહી સંભળાવે.” આ પ્રમાણે મંત્રીઓએ પૂછવાથી આંખમાં અશ્રુ લાવીને પોતાના કુળાદિકના સર્વાં વૃત્તાંત તળાવ ખાદવા સુધીના તેણીએએ વિસ્તારથી કહી બતાવ્યા બુદ્ધિકુશળ અને વસ્તુગ્રાહી મત્રીએએ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્ત્વ બધુ સમજી ગયા, અને વિસ્મયતાથી તથા સ્મિતપૂર્વક એકબીજા સામુ' જોતાં તેઓ પરસ્પર વિચાર કરીને મેલ્યા કે—અરે ભાઈએ ! જાણ્યા! આ બાઈ આને ધન્ય નામને અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે એળખ્યો! ઉપરની કહેલી હકીકત ઉપરથી તે ધન્યકુમારજ તેના દિયર છે, તેવુ રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ દેવાવડે માયા કરીને પહેલાં પોતાની પત્નીને ઘરમાં રાખી, પછી પેાતાના પિતા, માતા તથા મધુઓને પણુ ઘરમાં રાખ્યા, આ For Personal & Private Use Only Um २४४ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy