________________
સમજવાનો નહોતો. ભગવાનને ખબર હતી કે મારા કઠોર ઉપદેશથી છેવટેગોશાળાને પશ્ચાતાપ થશે, અને બોધ પામશે, માટે પ્રભુએ ગોશાળાને જવાબ આપ્યો.) તેતેજોલેશ્યાના તાપથી છ મહિના સુધી પ્રભુને લોહીના ઝાડા થયા. શ્રી વીર ભગવાનને કેવલજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરોને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગન થાય, છતાં ઉપસર્ગ થયો એ પહેલું અચ્છેરું! (આમ તો આ અચ્છેરું આ અવસર્પિણીમાં આ ભરતમાં થયેલું સૌથી છેલ્લે અચ્છે છે, પણ કેવળજ્ઞાની તીર્થંકરપર એક વખતનો એમનો જ શિષ્ય એમની પાસેથી જ શીખેલી તેજોલેશ્યા ફેંકી ઉપસર્ગ કરે, એ જઘન્યતમ કૃત્ય છે, અને આ પ્રસંગ સૌથી વધુ આઘાતજનક હોવાથી જ આ અચ્છેરાનું વર્ણન સૌથી પ્રથમ કર્યું, એ જ રીતે તીર્થંકરના ગર્ભનું હરણ થાય અને એ રીતે તીર્થકરને એક ભવમાં બે ભવ કરવા જેવું થાય એ પણ અત્યંતદુઃખદાયક બીના હોવાથી બીજા ક્રમે એ અચ્છેરાની વાત છે.)
, બીજું અચ્છેરું ગર્ભહરણ :- અર્થાત્ ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મુકાવું તે ! શ્રી વીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી શ્રી ત્રિશલા રાણીની કુક્ષિમાં થયું. એ અચ્છેરું છે કેમ કે બીજા કોઈ તીર્થકરને આવું નથી થયું !
ત્રીજું અચ્છેરું સ્ત્રી તીર્થકર - શ્રેષ્ઠ પુરુષો જ તીર્થકર થતાં હોય છે. પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીનાકુંભરાજાની પુત્રી મલ્લિકુમારીએ ઓગણીશમાં તીર્થકર થઇ તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ! (આ ચોવીસીમાં દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન પામવાનું વિશિષ્ટ ગૌરવવાળા હોવા છતાં મલ્લિનાથ ભગવાન પૂર્વભવમાં કરેલી માથાના પ્રભાવે સ્ત્રી થયા.)
ચોથું અચ્છેરું અભાવિત પર્ષદા:- એટલે કે તીર્થંકરની દેશના નિષ્ફલ થવી! તીર્થકરની દેશના ક્યારેય નિલ જતી નથી, પણ આ અવસર્પિણીમાં શ્રી વીપ્રભુએ કેવલજ્ઞાન પછી દેવોએ રચેલા પહેલા સમવસરણમાં ક્ષણભર દેશના આપી, છતાં કોઇને વિરતિ પરિણામ થયો નહિં, એ અચ્છેરું ચોથું ! (ભગવાન નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહીં, છતાં કેવળજ્ઞાન પછી દેવો સમવસરણ માંડે, ત્યારે દેશના આપવી એ આચાર હોવાથી પ્રભુએ દેશના આપી, પણ ‘કોઈ વિરતિના પરિણામવાળું થવાનું નથી’ એ
પ૯
Jan Education
natio
For Private & Personal Use Only