________________
१४८. समणस्स भगवओ महावीरस्स जाव० सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्वंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ इति दीसइ ॥१४८॥२४॥ ભવોપગ્રાહી કર્મો ક્ષય પામ્ય, આ અવસર્પિણી કાળના ચોથા આરાના ત્રણ વર્ષ આઠ મહીના અને પંદર દિવસ બાકી હતા ત્યારે, પાવાપુરીમાં હસ્તીપાલ રાજાની જીર્ણ કચેરીમાં ચોવિહાર છઠ્ઠનો તપ કરી સોળ પ્રહરની (૪૮ કલાકની) દેશનામાં પુણ્યફળના પંચાવન અધ્યયન, પાપ ફળના પંચાવન અધ્યયન, છત્રીશ નહીં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપ અધ્યયનો કહી પ્રધાન નામના અધ્યયનની પ્રરૂપણા કરતાં કરતાં પદ્માસનમાં બેસી વહેલી સવારે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે એકાકી મોક્ષે ગયા. (ઋષભદેવની સાથે દસ હજાર મોક્ષે ગયા. એમ બીજા તીર્થકરો ઘણાની સાથે મોક્ષે ગયા. જ્યારે પ્રભુવીર એકાકીમોક્ષે ગયા - જાણે કે એ સૂચવે છે કે પાંચમા આરાના શિષ્યો ગુરુનિરપેક્ષ થશે !)
(જે કર્મનો સંયોગ વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્ભાવથી. રમમાણ જે નિજરૂપમાં સર્વજગનું હિત કરે એવા પ્રભુ અરિહંત (મહાવીર)ને પંચાંગભાવે હું નમું!!) સૂત્ર ૧૪૮) ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને નવસો એંશી વર્ષ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ પસાર થયા પછી કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. ઇતિ શમ્
તપાગચ્છીય વિજય પ્રેમ - ભુવનભાનુ - જયઘોષ - ધર્મજિત - જયશેખર - અભયશેખરસૂરિ ગુરુભગવંતોના અનહદ અનુગ્રહથી પૂર્ણ થયેલું આ વ્યાખ્યાન આપણા વીતરાગભાવ - કેવળજ્ઞાન અને મોક્ષ માટે માર્ગરૂપ બનો!
પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિëમિ | ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિd II
I ૨૩૩
Gain Education Intematonal
FOC Pre
Ure Only
W
eber ID