SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ यादिनु જીગળાજ ડુંગર ઘણા છે, સાથ નથી. છતાં પુરૂષાર્થ કરવાથી કાલલબ્ધિઓ પ્રભુકૃપાથી અંતિમ સાધ્ય સિદ્ધ થશે, એમ (અભિનંદન સ્ત૦માં) કહી ) ग्रन्थका धनवि. આનંદઘનજી આશાવાદી હોઈ આપણને આશાવંત કરે છે.. શ્રેયાંસ પ્રભુ સ્તવનમાં અધ્યાત્મની વ્યાખ્યા આપે છે કે “નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયેં રે, જે કિરિયા કરિ ચઉ रादि° -રગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે; પછી નિક્ષેપથી ચાર પ્રકાર પૈકી નામ-અધ્યાત્મ, સ્થાપના-અધ્યાત્મ, અને દ્રવ્ય–અધ્યાત્મને છાંડવા परिचय યોગ્ય જણાવી ભાવ-અધ્યાત્મ એટલે નિજ સ્વરૂપ સહિત ક્રિયામાં વર્તતો ભાવ-એવો નિજ ગુણ સાધવા અને તેમાં જ રઢ રાખવાનદાકારી પ૨ ) રહેવા કહે છે. નિર્વિકલ્પતા-અભેદતા સ્વીકારી અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણુ લિબાસી રે–અધ્યાત્મને નિશ્ચયનયે સ્વીકારનાર તે यशोविजવિચારવંત છે, બાકી લબાડ-કદાગ્રહી-એકનયવાદી છે. વાસુપૂજ્ય સ્તવનમાં પોતે કહે છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાસે, આનંદઘન મતિ સંગી રે’ આમ આનંદઘનનાં ગૂઢ અને અત્યંત મનનથી સમજીને ઘટમાં ઉતારયા યોગ્ય वक्तव्य સ્તવનો તથા પદો અધ્યાત્મમાં રસ લેનારને આલોચવા યોગ્ય છે. ત્યારપછી ઓગણીસમી સદીમાં થયેલ દેવચંદ્ર અને રાનસાર, તે સદી અંતે ને વીસમીના આરંભે થયેલા કÉરચંદ-ચિદાનંદ અને હાજ્ઞાનાનંદ-જ્ઞાનનંદીનાં સ્તવનો-પદો પણ અભ્યાસવાં ઘટે. આ સર્વ અધ્યાત્મ પરના શાઅ કે પદોનાં વાંચવા વિચારવાથી અધ્યાત્મ આવી જતું નથી. વાંચેલું વિચારેલું પચાવાય આચારમાં | મુકાય, સર્વ પ્રત્યે સમભાવ કેળવાય, ઉચ ભાવનાઓ રાતદિન ચિંતવાય, ગુરૂગમથી પ્રવચન વાણીનો ગૂઢાર્થ સમજી વિષયો અને કષાયો પર સંયમ મેળવી ચિત્તથહિ કરાય તોજ આત્મસ્વરૂપાનુયાયી જ્ઞાન થાય. દિવ્ય નેત્ર ખુલે અને અંતિમ સાથવાળા સંપૂર્ણ નિજાનંદમય થવાય. આ અધ્યાત્મભાવના દિગદિગંતમાં પ્રસરો કે જેથી હાલના અસંખ્ય-માનવસંહારક જગવ્યાપી બનતા યુદ્ધનો વિરામ થાય, સર્વત્ર ઠંડી પર . શક્તિનો આવિર્ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એ હૃદયગત અભિલાષા સહિત મુંબઈ તા. ૨૧-૮-૧૯૪૧ અધ્યાત્મરસ-પિપાસુ ભાદ્રપદ અમાવાસ્યા વિ. સં. ૧૯૯૭ મોહનલાલ દલીચંદ દેશાઈ
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy