SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. કષાયોનો સંવર કરવો આવશ્યક છે, તે ન થયો તેથી કટ અને ઉત્કટક જેવા મહાતપસ્વી પશુ નરકમાં ગયા. આની કથા કર્ષરપ્રકર ग्रन्थकाવનવિ. વૃત્તિ આદિમાંથી જાણી લેવી. મનનો સંવર મુખ્ય છે, તે આચરતાં નિઃસંગતા ખરેખરી આવે છે ને તે બંનેને મોક્ષાર્થીએ સેવવાં. रादि૨૦ વૃત્તિ | પંદરમા અધિકારમાં શુભવૃત્તિશિક્ષા-ઉપદેશ છે. એ મુખ્યરીતે યતિઓ માટે છે, શ્રાવકોને પણ પોતા પુરતો શિક્ષા-ઉપદેશ લેવાનો છે. परिचय હિંમેશ કરવાની ક્રિયા-આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ સામાયિકાદિ ક્રિયા આસોએ કરવાની કહી છે માટે તે શુદ્ધ અને પાપને હણુનારી હોઈ કરવી. ૫ ૪૭ || વૈધનું ઔષધ ન લઈએ યા તેનું ઔષધ અશુદ્ધ-અપકવ હોય તો રોગનો નાશ ન થાય; વિવિધ પ્રકારનાં તપ નિત્ય આચરવાં, તે પહેલાં ચ૦૦નો કડવાં-તીર્ણ-આકરાં લાગે છે પણ ઉત્તરકાલે-પરિણામે સુંદર સુખકારી છે, તે જેમ રસાયનો દુષ્ઠ રોગને હણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ કુકમના पंदरमो ઢગને હણે છે. તપ કરનાર શીલવાનું થાય છે માટે (૧૮ હજાર) શીલાંગને ધારી, યોગસિદ્ધિ કરનારા હમેશાં બનો, ઉપસર્ગને શરીરમમતાથી अधिकार રહિત થઈ સહો, સમ્યક પ્રકારે ગુપ્તિ અને સમિતિને આરાધો. શ્રાવકો પણ પૌષધ ને સામાયિક ક્રિયા કરેલી હોય ત્યારે ઉપસર્ગને સહી ગુપ્તિ ને સમિતિનું આરાધન કરી શકે છે. શીલવાન સ્વાધ્યાય આદિથી મનને વશ કરી શકે છે માટે સ્વાધ્યાયરૂપ યોગમાં યા સ્વાધ્યાય કરીને મનો-વચન-કાયાના યોગમાં પ્રયત્ન કર-મનોવચનકાયાનો સંવર કર તથા આગમ-પ્રવચનને મધ્યસ્થવૃત્તિથી સ્વકદાગ્રહ મૂકી યથાર્થપણે અનુસર. ISણી ગારવ એટલે ઋદ્ધિ, રસ, ને શાતા ગાર-અહંકાર મૂકીને-પાઠાંતરે સન્માનાદિ ગૌરવની અપેક્ષાં મૂકી દઈને ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે વિષાદ રહિત હેતુની વિશુદ્ધિ રાખી ઇન્દ્રિયસમૂહને વશ કરી ફર. આ યતિને ઉદ્દેશીને કહેલું છે. સ્વાધ્યાય કરનાર સદુપદેષ્ટા અને છે માટે હે મુનિ ! ધર્મના અર્થે જ ધર્મસંબંધી ઉપદેશ સ્વ અને પર બંનેમાં સમત્વવાળો મારા તારાના ભેદ રહિત સર્વને આપ, જગતુ પ્રત્યે હિતની ઈચ્છાવાળો હોઈ ગામ કે તેના કોઈ પ્રદેશમાં નવક૫થી અપ્રમત્તપણે વિહાર કર. (માગશરથી આષાઢ સુધીના આઠમાસ તે આઠ ક૯૫ અને શ્રાવણુથી ૭ || કાર્તિકના ચારમાસ તે એક કલ્પ મળી નવકલ્પ). સદુપદેશ કરનાર વિચારક થાય છે, તો તું તપ જ૫ આદિ કરેલાં કે નથી કરેલાં, કરવાની શક્તિ છે કે અશક્તિ, અમુક સુકૃત છે કે નહિ તે હમેશાં હૃદયથી વિચારી સાધ્ય પ્રત્યે પ્રયત્ન કરે અને તું મોક્ષાર્થ હોઈ તજવાયોગ્યને જીતજી દે. સદ્દવિચારી નિર્મલ ત્રણુયોગ ધારણ કરે છે. પરને પીડા ત્રણ પ્રકારે-કરવા કરાવવા અનુમોદવા-એ ત્રણ પ્રકારે ન કરવાથી ત્રણISH
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy