SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. | વગેરે શહેરો પર ચઢાઈ કરી તેણે સર્વત્ર પોતાની આણ વર્તાવી. તે સને ૧૪૫૯ (સં. ૧૫૧૩)માં મૃત્યુ પામ્યો. વિક્રમના પંદરમાં શતકમાં ग्रन्थकाવનવિ. ગુજરાતની રાજકીય સ્થિતિ આવી હતી. रादिरत्न० वृत्ति. | મેવાડમાં એતો મહારાણી સં. ૧૮૨૧માં ચિતોડની ગાદીએ બેઠી. તેવીરપ્રકૃતિનો હોઈ અનેક લડાઈઓ લડયો (ચિત્રકુટ મ. પ્રા. પ્રશસ્તિ શ્લો.૧૦):IN परिचय તેણે મંડલગઢ તોલ્યો; માલવાના યવન રાજા અમીશાહને જીત્યો. પછી લાખો રાણે સં. ૧૪૩૯માં ગાદીએ આવ્યો. (ચિ. મ. પ્રા. પ્ર. શ્લો. ૧૧) તે સં. ૧૪૭૫ સુધી જરૂર હયાત હતો. તેના પછી મોકલ નામનો રાણે થયો (ચિ. મ. પ્રા. પ્ર. શ્લો. ૧૨થી ૧૭). પછી તેનો પુત્ર કુંભકર્ણ—કંભો રાણ धार्मिकસિ. ૧૪૯૦માં ચિતોડના રાજસિંહાસને વિરાજ્યો અને હિન્દુસુરત્રાણુ” એટલે હિંદુ બાદશાહ આદિ બિરૂદોને સાર્થક કરતો મહાપ્રતાપી ને राजकीयપરાકની સાથે દાની ને વિદ્વાન પ્રાપ્રિય રાજા તરીકે રાજ્ય કરી અનેક ગઢોને જીતી મેવાડને મહારાજ્ય બનાવી પોતાના પુત્ર ઉદાને હાથેIGI स्थिति. અકાલે સં. ૧૫રપમાં મૃત્યુ પામ્યો. જૂની શિરોહી સં. ૧૮૬૨માં દેવડા રાવ શિવભાને વસાવીને ત્યાં રાજધાની કરી, પછી તેના પુત્ર સહસ્રઆમ સં. ૧૪૮૨ માં નવી શિરોહી વસાવી ત્યાં રાજ્યગાદી સ્થાપી. ઈડરમાં આ વખતે રણમલ રાજ (સોમસૌભાગ્ય કાવ્ય ૬, લો. ૪: ક્રિયા-I રતસમુચ્ચય પ્રશસ્તિ લો. ૨-પીટર્સન રીપોર્ટ ૬, પૃ. ૧૭) અને તે પછી તેનો પુત્ર પુજ–પુજો રાજ્ય કરતો હતો. સોમસૌભાગ્ય. શ્લો. ૬ને ૭માં જણાવ્યું છે કે “જે શ્રી પુંજ રાજાએ રણભૂમિમાં પોતાની ભુજાના બળથી બાદશાહી રાજસેનાનો નાશ કર્યો હતો તિથી “વીરાધિવીર” એવું ઉજજ્વળ બિરૂદ મેળવ્યું હતું.—આ બાદશાહી સેના ઉપર્યુક્ત ગુજરાતના સુલતાન અહમદશાહની હોવી ઘટે. તેને આ પુને રાવ બહુ જ હેરાન કરતો–ઘણી વખત તે ઈડરપર લકર લઈ ગયો, પણ રાવ હાથમાં ન આવતો અને પાસેના પર્વતોમાં સહીસલામત રહેતો. આથી તે રાવને આંજી નાંખવા અને તેની હીલચાલને કાયમ બંધ રાખવા અહમદશાહે ઈડરની દક્ષિણ-પશ્ચિમે ૧૮ મૈલ દૂર હાથમતિ નદીના કાંઠે એક કિલ્લો બાંધી તેનું નામ અહમદનગર રાખ્યું–સન ૧૪૩૭–૨૮ (સં. ૧૪૮૩-૮૪), અને ત્યાં ટંકશાળ સ્થાપી પોતાના સિક્કા પાડ્યા. રાવ પુજે સં. ૧૪૮૪માં મરણુ પામ્યો. તેની પછી તેનો કુંવર નારાયણદાસ ગાદીએ બેઠો.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy