SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પણવૃત્તિ સહિત ગશાસ્ત્રના એ પણ આપણું ઘણું ઘણું સદભાગ્ય છે. બીજી મહત્વની વિશેષતા એ છે કે વિક્રમ સંવત ૧૨૦૨ માં આ પ્રતિ લખાયેલી છે. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૨૨૯માં થયો છે. તે પછી Is થોડા સમયે મહારાજા કુમારપાળ સ્વર્ગવાસી થયા છે. તે પછી તરત આ. શ્રી રામચંદ્રસૂરિને સ્વર્ગવાસ લગભગ વિ. સ. ૧૨૩૦ માં થયો છે. એટલે આ પ્રતિ આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ તથા ગ્રંથકાર આ. શ્રી રામચંદ્ર અને ગુણચંદ્રના સમયમાં જ લખાયેલી છે અને ગ્રંથકારે પોતે જ ઠામ-ઠામ સુધારેલી આ પ્રતિ છે. દ્વિતીય વિભાગની બન્યું એમ કે મૂળ અને ટીકા લખ્યા પછી કાળાંતરે ગ્રંથકારને એમ લાગ્યું કે આ ટીકામાં અનેક સ્થળે પ્રસ્તાવના સુધારવા જેવું છે, એટલે પહેલાં લખેલી ટીકામાં અનેક અનેક સ્થળે છેઠા છેક કરીને તેમણે અનેક અનેક સુધારા [ ૩૦ ] વધારા કર્યા છે. તે પછી સુધારેલી ટીકા સાથે સુસંગત કરવા માટે મૂળને પણ કેટલીક વાર સુધારવું પડ્યું છે. આ સુધારેલું મૂળ ટિપ્પણમાં તે તે સ્થળે તેમણે જણાવેલું છે. પરંતુ તે પૂર્વે લખાયેલા દ્રવ્યાલંકાર મૂળ ઉપરથી જે બીજી નકલે થઈને ભંડારોમાં પહોંચી ગઈ હતી તેમાં તે જુને જ દ્રવ્યાલંકારનો મૂળ પાઠ કાયમ રહી ગયો. સુધારેલે મૂળનો પાઠ તેમાં આવી શકે નહિ. અમને જે દ્રવ્યાલંકાર મૂળની બે પ્રતિઓ મળી છે તેમાં દ્રવ્યાલંકાર મૂળને જુનો પાઠ સચવાયેલે છે. ટીકામાં જે સુધારા-વધારા ગ્રંથકારે કર્યા છે તે કેટલીક વાર જુનો પાઠ ભૂંસીને કર્યા છે, તો કેટલીક વાર જુને પાઠ એમ ને એમ કાયમ રહેવા દઈને તેની આગળ-પાછળ (.) આવી નિશાની કરીને જુના પાઠો રદ Jain Education Interne For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy