SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં, પિતાનું શુભ દ્રવ્ય વાવવાનાં સાત ક્ષેત્રો (૧ જિનબિંબ, ૨ જિનમંદિર, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક, ૭ શ્રાવિકા)ને વિસ્તારથી સમજાવ્યાં છે. પ્રાસંગિક દિગમ્બર મતની માન્યતાનું ખંડન કરીને સ્ત્રીઓને પણ સંયમ તથા મેક્ષમાં અધિકાર છે એ વાત સિદ્ધ કરી છે. મહાશ્રાવકની દિનચર્યામાં, ચૈત્યપૂજા અને જિનચંદનની વિધિ સમજાવી છે. ઉત્કૃષ્ટ ચિત્યવંદન પ્રસંગે, ઈરિયાવહિ” આદિ, “નત્થણું', “અરિહંતચેઈઆણું” “લેગસ્ટ” “પુખરવરદીવ” “સિદ્ધાણં બુદ્ધાણં' “જયવીયરાય' આદિ પ્રાકૃત સૂત્રોને અર્થ વિસ્તારથી સમજાવ્યું છે. ગુરૂવંદનવિધિ તથા મધ્યાહન અને સંધ્યાની પૂજા વર્ણવીને પ્રતિક્રમણની વિધિ દર્શાવતાં, વંદનક સૂત્રોને અર્થ, ગુરૂવંદના ૩૨ દે, શિષ્યના પ્રશ્ન અને ગુરૂના ઉત્તરે, ગુરૂની ૩૩ આશાતનાઓ, પ્રતિક્રમણની વ્યાખ્યા, કાયોત્સર્ગવિધિ, કાયોત્સર્ગ માં ત્યજવાના ૨૧ દે તથા પ્રત્યાખ્યાનનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું છે. આમાં આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત લલિતવિસ્તરા દ્વિતીય તથા આવશ્યકવૃત્તિને ઘણો આધાર ગ્રંથકારે લીધેલ છે. ત્યાર પછી રાત્રિકૃત્ય સમજાવતાં સ્ત્રીઓનાં અંગેની Iિભાગની વૈરાગ્યાત્મક તાત્વિક વિચારણા પ્રસંગે સ્થૂલભદ્રની, અને વ્રત પાલનની દૃઢતા વિષે કામદેવ શ્રાવકની કથા પ્રસ્તાવના આપી છે. અવશ્ય કરવા લાયક ઉત્તમ માર વણવીને શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું સ્વરૂપ બતાવ્યું છે. છેવટે સમાધિ મરણ માટે કરવાની વિધિ તથા તે પ્રસંગે આનંદ શ્રાવકની કથા આપી છે. ત્રીજા પ્રકાશને અંતમાં શ્રાવક ધર્મનું પાલન કરનારા છ કેવી ઉત્તમ ગતિ પામે છે તથા કે ઉત્તરોત્તર વિકાસ પ્રાપ્ત કરે છે, તે જણાવ્યું છે. પવૃત્તિ સહિત યોગશાસ્ત્રના [૫]. Jain Education Intem For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy