SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबन्दी ३८ Jain Education International સુધારીને કરેલો સંશોધિત પાઠ. આ રીતે Jમૂ॰ વગેરે વગેરે માં મૂ॰ તથા સં॰ સંકેતોનો અર્થ અમારા બધા સંપાદિત–સંશોધિત ગ્રંથોમાં વાંચકોએ પોતાની મેળે સમજી લેવો. સંશોધન કરતાં, હસ્તલિખિત પ્રતિઓમાં રહેલો પાઠ સુધારવો જોઇએ અથવા તો સુધારવામાં આવે તો સારૂં લાગે છે એમ અમને જ્યાં જણાયું છે ત્યાં બાજુમાં ( )આવા કૌંસમાં ? આવા પ્રશ્નાર્થ ચિહ્ન સાથે અથવા પ્રશ્નાર્થ ચિહ્ન વિના અમે સુધારીને કલ્પેલો પાઠ જણાવ્યો છે. જે પાઠમાં કંઇક ઉમેરવા જેવું લાગ્યું છે તે અમારી કલ્પના પ્રમાણેનો ઉમેરો [ ] આવા ચોરસ કોષ્ટકમાં જણાવેલો છે. આ ગ્રંથના સંશોધનમાં અમે ઘણી ઘણી કાળજી રાખી છે છતાં મતિમાંઘથી અથવા દષ્ટિદોષથી જે કંઇ અશુદ્ધિ રહી ગઇ હોય તેનું વાચકો સ્વયં પરિમાર્જન કરી લે તથા કૃપા કરી અમને જણાવે એવી નમ્ર વિનંતિ છે. ધન્યવાદ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના અધિપતિ શ્રી આદીશ્વરદાદાની છાયામાં આ ગ્રંથના સંશોધનનો અમે વ્યવસ્થિત રીતે આજથી પાંચ-છ વર્ષ પૂર્વે પાલિતાણામાં વિસાનીમાની ધર્મશાળાના ઉપાશ્રયમાં પ્રારંભ કર્યો હતો. શાસનપ્રભાવક પૂ.આ.મ.શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના સમુદાયના પં.શ્રી સોમચંદ્રવિજયજી મહારાજ તથા તેમના શિષ્યો તેમજ મારા વિનીત અન્તવાસી મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી આદિ અમે બધા મળીને ગ્રંથનું વાંચન તથા પરસ્પર વિચારવિનિમય પૂર્વક સંશોધન કરતા હતા. પાઠાંતરોની નોંધ પણ કરતા હતા. તે પછી તેની પ્રેસ કોપી પં.શ્રી સોમચંદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી શ્રીચંદ્રવિજયજીએ કરી હતી. તે પછી પણ ઘણો સમય અન્યાન્ય કાર્યોમાં વ્યતીત થયો. કોમ્પ્યુટરથી આનું મુદ્રણ થયું. તે પછી ઘણા ઘણા સંસ્કારો થયા. તે પછી પરિશિષ્ટો લખાયાં. આ બધા કાર્યોમાં ઘણા ઘણા મહાનુભાવોએ ખૂબ સહકાર અને ભોગ આપ્યો છે તે બધાને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે. ઘણાં જ વર્ષોં (લગભગ ૧૦૦ વર્ષ થયાં હશે) પૂર્વે અમદાવાદની શાંતિસાગરજી મહારાજની કોઇ સંસ્થા તરફથી વૃત્તિ સહિત ધર્મબિન્દુનું પ્રકાશન થયું હતું. પરંતુ આ પુસ્તક ભાગ્યે જ ક્વચિત્ કોઇ અતિપ્રાચીન સંગ્રહમાં જોવા મળે છે. તે પછી વિક્રમ સંવત્ ૧૯૬૭માં વૃત્તિસહિત ધર્મબિંદુનું ગુજરાતી ભાષાંતર સાથે શ્રી જૈન આત્માનંદસભા, ભાવનગર તરફથી ઘણું સુંદર પ્રકાશન પુસ્તક રૂપે થયું છે. તે પછી શ્રી જૈન આત્માનંદસભાના પ્રકાશનને જ અનુસરીને તથા કેટલાક સંસ્કારો ઉમેરીને વિક્રમ સંવત્ ૧૯૮૦માં આગમોદ્ધારક પૂ. સાગરાનંદસૂરિજી મહારાજે આગમોદયસમિતિદ્વારા વૃત્તિસહિત ધર્મબિન્દુનું પ્રતિરૂપે પ્રકાશન કર્યું છે કે જેનો પઠન-પાઠન આદિમાં ઘણો પ્રચાર છે. તેમ જ તે પછી હમણાં હમણાં વિક્રમ સંવત્ ૨૦૪૪માં શ્રીમોક્ષૈકલક્ષી(ક્ષિ)પ્રકાશનમ્ તરફથી, વિક્રમ સંવત્ ૨૦૪૬ માં પુરૂષાદાનીય પાર્શ્વનાથ શ્વે.મૂ.જૈન સંઘ દેવકીનંદનસોસાયટી- અમદાવાદ તરફથી, તથા હર્ષપુષ્પામૃતજૈનગ્રંથમાળા (લાખાબાવળ) For Private & Personal Use Only પ્રસ્તાવના ૩૮ www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy