SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ १७ Jain Education International વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, જે વિ.સં. બારમા સૈકામાં વિદ્યમાન હતા, તે પંચાશક ઉપરની વૃત્તિમાં લખે છે કે : - ૪ ૨ વિજ્ઞ કૃતિ સિતાંવશ્રીહરિષદ્રાવાર્થમ્ય તેલં કૃતિ | અહિં જે ‘વિરહ’ શબ્દ મૂકવામાં આવ્યો છે, તે જણાવે છે કે ગ્રન્થ સિતાંબર (શ્વેતાંબર) શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. શ્રી મુનિચંદ્રસૂરિ જેમણે આ પ્રસ્તુત ગ્રન્થ ધર્મબિન્દુ ઉપરાંત લલિતવિસ્તરા, ઉપદેશપદ, યોગબિંદુ આદિ ઉપર ટીકા રચેલી છે, તેઓ લલિતવિસ્તરાની ટીકામાં લખે છે કે : —૪ વિજ્ઞ રૂતિ યાનિીમહત્તાધર્મમૂનોરાપાર્યમિત્રસ્યંતિ । આ લલિતવિસ્તરામાં જે વિરહાંક છે તે યાકિની મહત્તરાના ધર્મસૂનુ (ધર્મ પુત્ર) શ્રી હરિભદ્રસૂરિનો છે. તેમજ પ્રભાવક ચરિત્રમાં પણ શ્રી ચન્દ્રપ્રભસૂરિ જણાવે છે કે :– અતિશયફ્રૂયામિમ્યશિષ્યવ્રુયવિહોર્નિમોળ તમરેઠ: । નિષ્નઋતિમિત્ત સંવ્યપાત્નમસ્તાં વિપવેન યુતાં સાં સ મુછ્યું: III સારા પુરૂષોમાં મુખ્ય એવા શ્રી હરિભદ્રસૂરિએ પોતાના હૃદયને અતિશય પ્રિય લાગતા એવા બે શિષ્યોના વિરહની ઉર્મિને લીધે પોતાની સમસ્ત કૃતિઓ ‘વિરહ’ શબ્દ સહિત કરી છે. આ વિરહાંક શબ્દ જેમાં આવે છે તેવા કેટલાક ગ્રન્થોનો છેલ્લો શ્લોક આપણે જોઇએ. વીરસ્તવમાં છેલ્લી સ્તુતિના અંતે મુર્ત્ત અંગે મયવિĒ તસ્સ નારૂં વિ વીરે સૂત્રને તેમજ મદનનો જેને વિરહ છે (કામથી રહિત છે) એવા એ સૂત્રના નાથ શ્રી વીર પ્રભુને હું વાંદુ છું. સંસારદાવાની સ્તુતિમાં મવિહવં ટે િમે નિ સારૂં હે દેવી ! મને એવું ઉત્તમ વરદાન આપ કે મારા ભવનો વિરહ થાય, અર્થાત્ મારે ફરી જન્મ લેવા ન પડે. અષ્ટકના છેલ્લા શ્લોકમાં અષ્ટાવ્યપ્રવાળું ત્વા યત્નુંયમનિતમ્ । વિજ્ઞાત્તેન પાપસ્થ મરંતુ સુદ્ધિનો નના: । આ અષ્ટક રચવાથી જે પુણ્ય પ્રાપ્ત થયું તે પુણ્ય વડે પાપનો વિરહ-વિયોગ થઇ જન સમૂહ સુખી થાઓ. વળી શાસ્રવાર્તાસમુચ્ચયના છેલ્લા આઠમા સ્તબકને અંતે ભૃત્વા પ્રણમેતઘવવામં વિવિવિ મયા રાતમ્}મવિહવીગનમનાં તમતાં મળ્યો નમસ્તેન આ શાસ્રવાર્તા સમુચ્ચય રચવાથી જે કાંઇ પુણ્ય પ્રાપ્ત થયું તેને લીધે ભવ્ય જીવો પાપરહિત સંસારવિરહ મોક્ષનું બીજ (બોધિબીજ) પામો. પ્રસ્તુત ગ્રન્થના (ધર્મબિન્દુના) છેવટના ભાગમાં પણ વિરહ શબ્દ મૂકેલો છે. હવે આ વિરહ શબ્દ શું સૂચવે છે તે આપણે વિચારીએ. તેનું એક કારણ તો ઉપર આપણે વિચારી ગયા કે તેમના બે પ્રિય શિષ્ય અને ભાણેજ હંસ અને પરમહંસના વિરહથી થયેલું દુ:ખ સૂચવવા તે વિરહ શબ્દ પોતાના ગ્રન્થોને અંતે મૂકેલો લાગે છે. (૨) સર્વશનો, સર્વદર્શીનો અથવા પરમજ્ઞાનીનો વિરહ થવાથી પરમજ્ઞાન પામવા યોગ્ય સામગ્રીનો વિરહ તેમને લાગ્યો હોય અને તેથી આ વિરહ For Private & Personal Use Only પ્રસ્તાવના १७ www.jainellbrary.org/
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy