SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. આગમત રિવાજ તે હમણાં ન પ્રવતેલો છે અને તેથી ચંદરવાઆદિ કરાવવા પાછળ થતો ધનવ્યય ધુમાડા જે છે” એમ કહે છે. તેઓએ કમદાનવાળા મઠોમાંની નિવૃત્તિ લઈ વિવેચક્ષુ ખેલીને આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જણાવેલ આ શ્રાદ્ધદિનકૃત્યને પાઠ નજરે જોવાની પહેલી જરૂર છે. જે તેવા ભારે-કમીઓએ આ પાઠ જે હોય અને કદાચ શ્રદ્ધાની હીનતાને લીધે માન્ય ન હોય અને ભગવાન જિનેશ્વર મહારાજ વિગેરેની ભક્તિ માટે ભક્તિમાનેએ કરાતા ચંદરવા-પુંઠીયાને નિષેધ કર્યો હોય તે તે બાબતમાં વાચકોને એટલું જ કહેવાનું કે શાસનને અનુસરનારા ભવ્યાત્માઓ કાંઈ તેવા ચારિગ-રત્નને હારવા સાથે સમ્યક્ત્વ-રત્નને હારી ગયેલાની જેવા શ્રદ્ધાથી પતિત થયેલા નથી કે જેથી સમવસરણની અંદર દેવતાઓએ કરેલી ભક્તિના અનુકરણનું સામર્થ્ય ન હોય તે પણ પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ કહેલા ભક્તિ-વિધાનમાં યથાશક્તિ ચંદરવા–પૂઠીયા આદિ દ્વારા ન પ્રવર્તે. જેવી રીતે વ્યવહારથી પણ ચારિત્ર–રત્નાદિકે રહિત મનુષ્યનાં વચને શાસન-પ્રેમીઓને સાંભળવા લાયક રહેતાં નથી, એવી જ રીતે કેટલાક વ્યવહારથી ચારિત્રાદિક-રત્નને ધારણ કરવાવાળા છતાં લેકસંજ્ઞામાં લીન બનેલા ભગવાન જિનેશ્વરાદિના પૂજનના સાધનની ઉત્તમતા ચંદરવાદિ દ્વારા છે, એમ જાણવા-માનવાવાળા છતાં અગર તેવી માન્યતા ન હોવાને લીધે રેશમી-ચંદરવાને બહિષ્કાર કરી કપાસના પણ ઉત્તમ વસ્ત્રો ન લેતા છતાં કેવળ પ્રાકૃતજનેને લાયક ખાદી જેવાં અનુત્તમવાથી ભગવાનની ભક્તિ કરવાનું જાહેર કરે છે, તેવાઓનાં વચને પણ શાસન ઉપર પ્રેમ ધરાવનારાઓએ તે અંશે પણ સાંભળવા અને ગણકારવા લાયક નથી.
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy