SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું હવે તે ચંદરવાનું અનેક રચનાવાળું વસ્ત્ર કેવું હોવું જોઈએ? તે માટે કહે છે કેદેવદૂષ્ય વસ્ત્ર ને કે જે ભગવાન તીર્થંકર દીક્ષા ગ્રહણ કરે ત્યારે ભગવાન તીર્થંકરના ડાબે ખભે ઈંદ્ર તરફથી મૂકવામાં આવે છે અને જે દેવતા ઈંદ્ર વિગેરે પહેરે છે તેવા દેવ દળેથી ભગવાનની ઉપર ચંદર બાંધવે. તે દેવદૂષ્ય જે ન મળે તે અગર તે મેળવવાની શક્તિ ન હોય તે કૂલવૃક્ષની છાલથી થયેલાં જે દુકૂલે કે જે રેશમી વસ્ત્ર કરતાં પણ સુંદર અને સુશે. ભિત હોય છે, તેવાં વસ્ત્રોએ કરીને ચંદરવા બાંધવા. તેવું દફૂલવસ પણ ન હોય તે કૌશેય એટલે રેશમી વસ્ત્રોએ કરીને ચંદરવા કરવા. તે પણ જે ન મળે કે ન મેળવી શકાય તે ક્ષીમ એટલે કપાસના બનેલાં પણ ઉત્તમ એવાં વસ્ત્રોએ કરીને ચંદરવા કરે. ચંદરવામાં વપરાતા વસ્ત્રને અંગે ઉત્સર્ગાદિથી વિધિ જણાવીને ફેર ચંદરવાની વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જે ચંદરવાની અંદર સેના અને રૂપાં જડેલાં હોય, પરવાળ જડેલાં હોય, અને મોતીઓ એટલે હીરા મોતી પન્ના વિગેરે પણ જડ્યાં હોય અને તે સેના-રૂપા વિગેરેનું જડતર નામ ધરાવવા માત્ર નહિં પરંતુ ઘણુ અને મોટા પ્રમાણવાળું હોય એટલે તે વડે કરીને સારી રીતે ભરેલું હોય એવો ચંદર ભગવાનની ઉપર બાંધે. કર્મક્ષય માટે અસાધારણ શું? આ સ્થાને કેટલાય જિનેશ્વર મહારાજની ભક્તિની અરૂચિ ધારણ કરનારા પિતે તે ભક્તિ કરવા તૈયાર થાય નહિં, પરંતુ જે ભવ્યાત્માઓશ્રી જિનેશ્વર-મહારાજની ભક્તિ કરે છે, તે આત્માને લાગેલાં કમેને ક્ષય કરવાનું અસાધારણ કારણ છે, એવું માનીને શ્રી જિનભક્તિ કરતા હોય તેવાઓને પણ અન્તરાય કરવા તૈયાર થયેલા હોય છે, તથા સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપી રનથી ચૂક્યા છતાં પણ સમ્યગ્દર્શનરૂપી રત્નથી પણ જેઓ ચૂકેલા હોય છે, તેવા શાસ્ત્રને જોયા વગર જે બકવાદ કરે છે કે-“ આ ચંદરવા-પૂઠીયાનો
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy