________________
પુસ્તક ૩-જુ
જેમ ખાણમાંથી પત્થર નિકળે, મકાનમાં ગોઠવાય અને પાછે ધૂળમાં પડે, તેમ આ જીવ પણ નિગોદમાંથી નિકળે, ભટકે અને પાછે નિગદમાં જતે. જીવની આ રીતે પત્થર જેવી દશા હતી. નિગદ અને નિગોદની બહાર અથડાતે-પીડાતે હતે.
આ સ્થિતિમાં એને પિતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન કદી થયું ન હતું. બહારના પત્થર જેટલું ખાણમાં કે દરિયામાં રહેલું સેનું ઉપયોગી નથી, તેમ આ આત્મા–ચેતન, જ્ઞાનવંત, અનંત શક્તિને માલિક એ બધું ખરું, પરંતુ તેના ઉપર તીર્થકરને પ્રભાવ હેતે પડ્યો, ત્યાં સુધી પત્થર હતે !!!
બનાવટી સેના જેટલું ખાણુમાં રહેલું સોનું ઉપયોગી ન થાય! અનંત તીર્થકરોએ પિતાના અનંતા શરીરના પુદ્ગલે ઔદારિક શરીરપણે પરિણમાવ્યા છતાં આખરે તે પૂજ્ય થયા. જ્યારે આપણા આત્માની દશા રખડતી છે. આ ફેર કેમ?
વિચાર! જાનવરને પણ પાંચ ઈન્દ્રિયે અને છઠું મન છે. છતાં તેને “હું કોણ?” એ વિચારવાનું હોતું નથી, તેમ આપણે અનંતી વખત મનુષ્ય થયા. શેઠ–રાજા-દેવતા વગેરે થયા. પણ આપણે “કોણ? એ ન વિચાર્યું?
તેવું સુંદર મુખ હોય છતાં આરિસાના જેગ સિવાય તેની સુંદરતા ખ્યાલમાં આવતી નથી.
તેમ આત્માની સ્થિતિ, આગમ-આરીસા વિના તેવી છે. સ્કાય દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય, પરંતુ તે, આગમ આરિસા સામે જયાં સુધી ન જુએ ત્યાં સુધી આત્માને ખ્યાલ પામી શકે નહિં.
આમ તે આરિસામાં કાંઈ નથી. પણ તે એવી ચીજ છે કે તમારું સ્વરૂપ હોય તેવું દેખાડે, એમ આગમ–આરી નવું કાંઈ દેખાડતું નથી. આ રિસામાં જ્ઞાન હોય અને દેખાડે છે તેમ નથી. આરીસામાં જેમ જે વસ્તુ સામે હોય તેજ દેખાવાની, તેમ આગમઆરીસામાં પણ જે વસ્તુ આત્મામાં હોય તે જ દેખાવાની.