SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - માધ્યમ–મળઃ પ્રવેશ ન મવન્તિ | પરમાણુને દ્રવ્ય પ્રદેશ હેતા નથી. ટીકાથ– સ્કંધને બનાવવામાં જેમ પ્રદેશે પરિણામી કારણના ભાવને ભજવે છે, તે પ્રમાણે પરમાણુને પુરવાવાળા પરિણામી કારણના ભાવને ભજવાવાળા દ્રવ્યરૂપ પ્રદેશ હેતા નથી, જેઓ સંપ્રદેશપણા વડે પરમાણુપણાને અભાવ સાધે છે. તેઓના મત પ્રમાણે તે જે અંત્ય પ્રદેશ તે પરમાણુ નથી. એમ કહેવું તે પ્રતીતિ-વિરોધ છે. કારણ કે અંત્ય પ્રદેશ કહે છે અને તે તે પરમાણુ કહે નથી એ કેમ બને? પરમાણુ ન કહે હેય તે તેને અંત્ય પ્રદેશ પણ ન કહી શકાય. વળી પરમાણુમાં જે સપ્રદેશપણું કહેવું છે તે અવ્યાપક અને અસિદ્ધ બે દોષવાળું છે, એટલે જેમ વનસ્પતિમાં ચૈતન્યગુણની સિદ્ધિ માટે જાવંતી રીસામણી નામની વનસ્પતિને અંગુલી વિગેરેમાં સ્પર્શથી થતી લજજા હોય (રૂપ હેતુ) બીજી વનસ્પતિઓના ચૈતન્ય-ગુણની સિદ્ધિ માટે અવ્યાપક તેમજ અસિદ્ધ છે. તે પ્રમાણે પરમાણુમાં સપ્રદેશીપણું એ પણ અવ્યાપક અને અસિદ્ધ દોષયુક્ત છે. કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચાર પ્રકારના પરમાણુરૂપ પક્ષમાં દરેક ઠેકાણે સપ્રદેશીપણું છે નહિ. ફક્ત (પર્યાયની અપેક્ષાએ) દ્રવ્ય પરમાણુમાં જ સપ્રદેશપણું છે. વળી જે એમ માને છે કે જે દ્રવ્યમાં મધ્ય તથા વિભાગ ન હોય એ આકાશ-પુરુષની માફક અસત્ છે (વસ્તુ જ નથી) અને જે મધ્ય તથા વિભાગ યુક્ત છે. તે તે મધ્ય તથા વિભાગ યુક્ત ઘટ દ્રવ્યની માફક આણુ નથી. : તેવાઓના મન્તવ્ય મુજબ તેમણે માનેલ વિજ્ઞાનક્ષણમાં અનેકાન્ત દેવ આવે છે. એટલે કે જે વિજ્ઞાન-ક્ષણને તમારે
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy