SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ સ્પષ્ટપણે કહેલું છે, અર્થાત્ પ્રાણાતિપાતની વિરતિને અંગીકાર કરીને માસકાદિકમર્યાદાએ વિહાર કરે તે જ મહાવ્રતના અંગીકારની પ્રતિજ્ઞાનું તત્ત્વ છે. એ ઉપરથી સ્પષ્ટ થશે કે અધિક વિરાધના વજેવા માટે અ૫–વિરાધનાની કર્તવ્યતા મહાવ્રતધારીને પણ ગ્ય ગણાઈ છે અને તે શાસ્ત્રકારોએ કરવા લાયક પણ ફરમાવી છે. એ વાત તે એકખી છે કે રામાનુગ્રામ વિહાર કરનારને ઈરિયાવહિયાસૂત્રમાં જણાવ્યા મુજબ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ઇવેના અભિવાતાદિ દશ પ્રકારોએ વિરાધના થવાનો સંભવ છે, છતાં તે સર્વજીની અભિઘાતાદિ વિરાધનાના સંભવવાળો એ પણ વિહાર શાસ્ત્રકારોએ સાધુપણાના આચારના બચાવ માટે ફરજીયાત ગણેલે છે. આ વાત ન વિચારીએ તે મહાવ્રતને અંગીકાર કરવા સાથે આહાર-વિહારાદિ છોડીને અનશન કરવું જોઈએ અને શાસ્ત્રકારોએ પણ આ અપેક્ષાએ તત્કાળ અનશન કરનારને મહાવ્રત લેવાની આજ્ઞા આપવી જોઈએ. વળી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વચમાં જે નદીનાળાં આવે તેને પણ ઉતરીને કે નાવ વિગેરે દ્વારા ઉતરીને પણ આ અપેક્ષાએ જવાની આજ્ઞા જે શાસકારોએ આપી છે, તે પણ અગ્ય ગણાય, પરંતુ વિહાર નહિ કરવાને લીધે એકસ્થાને રહેતાં થતી ષકાયની વિરાધનાના પ્રસંગને ટાળવા માટે જ્યારે શાસ્ત્રકારોએ નદી આદિ ઉતરીને પણ વિહાર કરવાની સાધુ–મહાત્માઓને આજ્ઞા ફરમાવી, એટલું નહિ, પણ વિહાર કરે એ જ આચાર છે અને મર્યાદા પ્રમાણે વિહાર ન કરે એ અનાચાર છે, એમ જણાવ્યું છે એ ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે સાધુ-મહાત્માઓને પણ ઘણુ જીવેની ઘણી વિરાધના વજેવા . માટે અલ્પજીની અલ્પવિરાધના કરવાને પ્રસંગ આવે તે પણ તે પરિહરવા લાયક નથી, પણ બાદરવા લાયક છે. અર્થાત
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy