SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત તિપાત વિરમણને પહેલા મહાવ્રત તરીકે માનવામાં વિશિષ્ટતા કઈ છે? તે સમજવું જોઈએ. જૈનદર્શનને જાણનાર વર્ગ સારી પેઠે સમજી શકે છે કે સર્વસાવદને ત્યાગ કરનાર સાધુવર્ગ સર્વ જીના પ્રાણાતિપાતની વિરતિ કરી શકે, પરંતુ ગૃહસ્થપણામાં રહેલે ખેતીઆદિકના આરંભથી અને પશુના પાલનઆદિથી કે કુટુંબની સંભાળથી ગુંચવાયેલે હેઈને સર્વ જીના પ્રાણના અતિપાતથી બચી શકે નહિ. અર્થાત્ તે ધર્મપરાયણ ગૃહસ્થવર્ગ ત્રસજના પ્રાણોના અતિપાતથી બચવાનું વ્રત લઈ શકે. એટલે સર્વ—જેના પ્રણેના અતિપાતથી બચવું અને ત્રસજીના પ્રાણના અતિપાતથી બચવું એ બે વિભાગ પ્રાણતિપાતશબ્દ રાખવાથી બની શકે છે. સાધુ-મહાત્માની તે પ્રતિજ્ઞાને મહાવ્રત કહેવામાં આવે છે. અને ગૃહસ્થની પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞાને આણુવ્રત તરીકે કહેવામાં આવે છે. જે કે પૃથ્વીકાય-અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયને જેવા સ્પર્શેન્દ્રિય-કાયબળ-શ્વાસેવાસ અને આયુષ્ય એવા ચાર પ્રાણે હોય છે, તેવા ચાર પ્રાણે બેઇદ્રિય–તેઇંદ્રિયચહરિદ્રિય અને પચંદ્રિય તરીકે ગણાતા છે કે જે છ-સાતઆઠ અને દસ પ્રાણોને ધારણ કરનારા છે, તેઓને પણ તે (સ્પર્શેન્દ્રિય આદિ ચાર પ્રાણે તે એકેન્દ્રિયાદિની માફક) ચાર . પ્રાણ હોય છે, એટલે કહેવું જોઈએ કે એકેન્દ્રિયને મળેલા શરીરાદિક જે ચાર પ્રણેની વિરતિ વકે ન કરી તે ચાર પ્રાણેના નાશની વિરતિ બેદ્રિયાકિની અપેશને અવશ્ય કરે અને કરવી જોઈએ. એટલે પ્રાણના નાશથી વિરતિ કરવા રૂપ વ્રત રાખવાથી સર્વવિરતિ અને દેશવિરતિ અથવા મહેટી વિરતિ, ન્હાની વિરતિ જેવા વિભાગો થઈ શકે.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy