SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧૭ ભગવાનના અંગે લાગેલાં હોય છે, તેમાં ભગવાન જિનેશ્વર મહારાજને શું ? પિતે તે જેમ સ્નાનને ઉદ્યમ કર્યો નથી, તેમ તે મુકુટાદિ ધારણ કરવાને પણ ઉદ્યમ કર્યો નથી, પરંતુ ભક્તોએ ભક્તિથી કરાયેલા અભિષેકની માફક ભક્તિથી તે મુકુટ-કુંડલાદિ આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો ભક્તોએ ધારણ કરાવેલાં છે. ફક્ત લેકોની મહેકાવટ જે મનમાં આવી હોય તે જ દૂધ-પ:ણીના અભિષેક વિગેરે છતાં વીતરાગપણું જણાય છે, એમ માનવું થાય. અને મુકુટ-કુંડલાદિને લીધે વીતરાગપણું ચાલ્યું જાય છે, એમ માનવું થાય. દિગમ્બરેની એક વિચિત્ર મનેદશાઃ શાસ્ત્રને અનુસરતી દષ્ટિ રાખનારો તે શું પરંતુ સામાન્ય રીતે મધ્યસ્થ દષ્ટિ રાખનાર મનુષ્ય હોય તે તે પણ સ્પષ્ટપણે સમજી શકે કે ભગવાન જિનેશ્વરમહારાજની અવસ્થા તે વીતરાગપણુની છે અને આ દૂધ-પાણી વગેરેને અભિષેક અને આભૂષણવસ્ત્રોનું આરોપણ એ માત્ર ભકિતશીલએ ભક્તિને માટે યથા– યેગ્યપણે આચરિત કરેલું છે. દિગબરેએ વિચારવું જોઈએ કે, તમે વેતામ્બરભાસ એવા ખરતર ગ૭વાળાની માફક “સ્ત્રીઓએ જિન-પૂજા કરવી નહિ” એવું માનનારા નથી એ ચોક્કસ છે, અને જ્યારે દિગંબરેના મતે સ્ત્રીઓને પણ જિનેશ્વરમહારાજની પૂજાને અધિકાર છે અને સ્ત્રીઓ પણ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાનું પ્રક્ષાલન અને અંગલુહણ આદિ કરે છે, તે તે વખતે શું દિગંબરની માન્યતાની અપેક્ષાએ સ્ત્રીને શરીરસ્પર્શ વીતરાગ-અવસ્થાને બાધ કરનારે ગણાતે નહિ હોય? શું દિગંબરે એમ માનવા તૈયાર છે કે અમારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ થયા હતા, છતાં તેઓને સ્ત્રીઓના સંઘને બાધ ન હતું, અને સ્ત્રીઓ વીતરાગ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવતી હતી.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy