SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વળગેલા જ પદાર્થોથી વીતરાગપણું જાય છે. અને પાસે રહેલા પર્થોથી વીતરાગપણું જતું નથી. એવી માન્યતા કરવી તે કેવળ ભદ્રિતાની પરમ સીમા જ ગણાય. વળી સુવર્ણ અને મણિમય સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરાય છે, ત્યારે તે ભગવાનની પ્રતિમાઓ સુવર્ણ અને મણિમય સિંહાસને લાગેલી નથી હિતી એમ કેણ કહી શકે? અને જેમ રાજામહારાજાઓ સુવર્ણ અને મણિમય સિંહાસનેમાં બેઠેલા હોય ત્યારે તેઓ રાજ્યઋદ્ધિથી શોભતા. ગણાય, અને તેથી તેઓ વીતરાગ નથી એમ મનાય છે તે પછી સુવર્ણ અને મણિમય સિંહાસન ઉપર બેઠેલા ભગવાનને પણ વીતરાગ તરીકે માનવાનું તે ભેળા લોકોને અનુકૂલ થશે નહિં. વળી આ હકીકતમાં વિશેષે એ વિચારવાનું છે કે જન્માભિષેકની વખતે જે દૂધ અને પાણી વિગેરેથી અભિષેક કરવામાં આવે છે તે દૂધ અને પાણીનું સ્નાન વીતરાગતાને તે શું પરંતુ સામાન્ય સાધુપણાને પણ બાધ કરનારું હોવાથી તે કેમ કરાયા છે? વળી તે સ્નાનનું દૂધ અને પાણી અંગે લાગેલું હોય તે વખતે શું તે ભેળા લેકે ભગવાનનું વિતરાગપણું નથી એમ. માનવા કે કહેવા તૈયાર થશે ખરા? ધ્યાનમાં રાખવા જેવું છે કે છત્રાદિકથી વીતરાગ-રહિતપાણાની દશા તે માત્ર રાજા-મહારાજા કે શ્રેષ્ઠી આદિકને જ હેય, પરંતુ સ્નાનને અંગે અ-વીતરાગતા તે પામર લેકે અને યાવત જગતના સર્વ મનુષ્યને લાગુ થયેલી હોય છે. એટલે અભિષેક કરતી વખતે દૂધ અને પાણી શરીરને લાગેલાં હોય છતાં પણ જે ભગવાન જિનેશ્વર મહારાજનું વીતરાગપણું હેવાથી તે દૂધ અને. પાણીને પ્રક્ષાલ ભક્તજીને કરેલે ગણું ભગવાન જિનેશ્વર મહારાજની વીતરાગતાને બાધકર્તા બનતું નથી તે પછી મુશ્કેટ, કુંડલ વિગેરે આભૂષણે અને ચીનાંશુક આદિ વસ્ત્રો પણ
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy