SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧૪ ૪. જગતમાં કેટલાંક કાર્યો એવાં હોય છે કે જેમાં ગુરુ મહારાજને આજ્ઞા કે નિર્દેશ કરવાનું શિષ્યને અંગે ન બને તે પણ શિષ્યની વિનયને અંગે ફરજ છે કે દેશ-કાળ, અવસ્થા વગેરે ગુરુમહારાજની જે હોય તે તપાસીને ગુરુમહારાજના હકમ કે નિદેશ સિવાય પણ તે દેશાદિકને અનુસાર કાર્ય કરવાની જરૂર પડે. આ રીતે જે દેશાદિકને અનુસારે ગુરુમહારાજને અંગે વગર આજ્ઞા-નિર્દેશે યોગ્ય પ્રવૃત્તિ કરે તે વિનયવાળે કહેવાય. આવી રીતની આજ્ઞા અને નિર્દેશ વગર પણ પ્રવૃત્તિ કરવાનું તે શિષ્યથી બને કે જે ગુરુમહારાજની સૂમચેષ્ટાથી પણ તે તે દેશ, કાળ અને અવસ્થાને લાયકનાં કાર્યો કરવાનું સમજી શકે અને તે બજાવી શકે, એટલે ગુરુમહારાજની ઇગિત કિયાને સમજનારે વિનયવાળે ગણાય. ૫. ઉપર જણાવ્યા પ્રમાણે સૂફમ-ક્રિયાથી જેમ કર્તવ્યને જાણે, તેવી જ રીતે નેત્રમૂળ–મસ્તક–હસ્ત વિગેરે દ્વારા થતા આકારોથી પણ દેશ-ક્ષેત્ર, કાળ અને અવસ્થાને લાયક ગુરુમહારાજને અંગે કરવા લાયકનાં કૃત્યે જાણે અને બજાવે તે વિનયવાળે કહેવાય. જવરાદિથી જ્યારે વ્યાપેલું શરીર હોય, ચક્ષુની વેદના હોય, મસ્તકને દુઃખ હોય, જઠરને વ્યાધિ હોય, પગની વ્યથા હોય એ વિગેરે અવસ્થામાં જરૂર શરીરના તે તે અવયના આકારને ફરક પડે છે, અને તેથી ગુરુમહારાજ તેને અંગે કર્તવ્યતા બતાવે નહિ, અને સહન કરવામાં નિર્ભર છે એમ ધારી સહન કરે તે પણ શિષ્યને તે જરૂરી માલમ પડે અને તે માલમ પડવાથી પિતાનું કર્તવ્ય અવશ્ય બજાવે અને તે બજાવે તે વિનયવાળે કહેવાય, પરંતુ કેટલીક વખત ભગવાન આર્ય રક્ષિતરિજીને પિતાના પિતાને માર્ગે લાવવાની વખતે જેમ માત્ર સૂક્ષમ-ક્રિયારૂપી
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy