SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત એટલે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદરૂપી ગુરુતત્ત્વને ઓળખવા માટે વંદ્રિય સૂત્ર અસાધારણ–ઉપગવાળું છે, પરંતુ સામાન્ય સાધુ કે જેને શિષ્ય તરીકે ગણવામાં આવે છે, તેને ઓળખવા માટેનું વિશેષ લક્ષણ અહોરાત્રની ક્રિયામાં જોડાયેલા કેઈ સૂત્રથી માલુમ પડે તેમ નથી. જો કે શાસ્ત્રકારો આચાર્ય અને ઉપાધ્યાય સિવાયના એટલે પાંચ પદસ્થ સિવાયના સાધુ-વર્ગને વિનેય તરીકે ઓળખાવે છે અને તેથી જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતમાં જ વિનીતનું એટલે વિનયવાળા શિષ્યનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનમાં જણાવેલા લક્ષણનું નીચે પ્રમાણે નવનીત તરી આવે છે. ૧. જે ગુરુ મહારાજની (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, ગણધર, સ્થવિર કે જે કઈ સમુદાયને નાયક હેય તેમની) આજ્ઞા એટલે હુકમને બજાવવાવાળો હોય. ૨. ઉપર જણાવેલા ગુરુ મહારાજના નિર્દેશને અમલમાં મૂક્વાવાળે પિતાને અંગે જે કંઈ કરવાનું વિધાન સાક્ષાત્ અને વર્તમાનકાળમાં ગુરુ મહારાજજી જણાવે અને તે કાર્ય બજાવવામાં આવે તે આજ્ઞાકારી એમ ગણાય અને ભવિષ્યને માટે કે બીજા કેઈ શાસનના કાર્યને માટે ઉપર જણાવેલા ગુરુ મહારાજ જે હુકમ કરે અને તે બજાવવામાં આવે તે નિદેશકારી ગણાય. કેટલીક જગે પર આજ્ઞા અને નિર્દેશનું જુદાપણું નથી રખાતું, આને ત્યાં ગુરુ મહારાજે કરેલ આજ્ઞાને જે નિર્દેશ તેને કરનારે હોય, તે વિનીત કહેવાય, એમ જણાવવામાં આવે છે. ૩. ઉપર જણાવેલા ગુરુઓની નજીકમાં એટલે દષ્ટિમાં બેસનારે હેય (પરંતુ ગુરુમહારાજના હુકમને બજાવ પડશે એવા ભયથી ગુરુ મહારાજની દષ્ટિથી દૂર બેસનારે ન હોય)
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy