SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન ભાવવી જોઈએ, વાવત્ તેઓએ સિદ્ધપણુરિક અવસ્થા પણ ભાવવી જોઈએ નહિ. જે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ જગતના હિતને માટે તીર્થ પ્રવર્તાવવાને અંગે દીક્ષિત થવા વિચાર કરે છે તે વખતે દેવાતું સંવછરી-દાન લેકને આપવામાં આવે છે તે સંવછરી દાન લેનારા લેકે દેવદ્રવ્યના દોષથી દૂષિત બનતા. નથી. કારણ કે ભગવાન તીર્થકર મહારાજાઓએ તે દેવતા દ્વારા લવાયેલું દ્રવ્ય લેકેને ભેગોપભેગને માટે લવાયલું છે, એટલું જ નહિ પરંતુ ખુદ કેવલી પણું પ્રાપ્ત થયા પછી પણ સમવસરણમાં કરાતે બલિને પ્રકાર જે છે, તે પણ દેવદ્રવ્ય તરીકે નથી, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિને માટે કે તેમની પ્રતિમાની સેવાપૂજા માટે જે દ્રવ્ય હેય તે સર્વ દેવદ્રવ્ય તરીકે ઉત્તમોત્તમ ગણાય છે. યાદ રાખવું કે ભગવાન્ મહાવીર મહારાજના જન્માભિષેકની વખતે સીધર્મઈદ્રની શંકાના નિવારણ માટે ખુદ ભગવાન મહાવીર મહારાજે કરેલા મેરૂના ચાલન વખતે ઈન્દ્ર મહારાજે ભગવાન અરિહંતની ભક્તિનું વિન માનેલું છે. ફક્ત જિનેશ્વરમહારાજને કેવલીપણાની અવસ્થામાં દેવ માનનારાની અપેક્ષાએ સૌધર્મઇદ્રની એ ધારણા ભૂલભરેલી હતી, એમ માનવું જોઈએ. તેમજ જન્માભિષેક કર્યા પછી સર્વ ઈન્દ્રોએ ભગવાન જિનેશ્વર મહારાજની જિનેશ્વર મહારાજ તરીકે કરેલી સ્તુતિ પણ અધર્મ–પ્રધાનને માટે મહેદી ગફલત તરીકે ગણાવવી જોઈએ. આ રીતે ભગવાન જિનેશ્વર મહારાજાઓના કેવલીપણા શિવાયમાં જે જે દેવત્વ તરીકે અને પૂજ્યત્વ તરીકે પ્રસંગે બનેલા છે તે સર્વ પૂર્વે જણાવેલા અધર્મપ્રધાનેને માટે તે કેવલ ઈન્દ્રજા જેવા થાય, એટલું જ નહિ પણ અનર્થ જેવા થઈ જાય. (ક્રમશ ચાલુ) -
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy