SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સાવવામાં આવ્યું છે, પરંતુ તે વચ્ચેથી ચંદરવા-jઠીયા વગેરે વાં અને તે દ્વારા પૂજન કરવું એ વધારે ઉચિત ગણાય. શત પસેણુસૂત્રમાં સૂર્યાભદેવે કરેલી ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં વસ્ત્રનું આરોહણ કરવાનું જણાવવામાં આવેલું છે. અને એને અર્થે ભગવાન જિનેશ્વરની પ્રતિમાને વસ્ત્ર પહેરાવવાં એમ થતું હોય તે જૈનદર્શનની મનાયેલી અવસ્થાત્રયીની ભાવનાને અંગે કઈ પણ જાતની પ્રતિકૂલતા નથી. વસ્થાત્રયીની ભાવના શા માટે? કે યાદ રાખવું કે ભગવાન જિનેશ્વર મહારાજની અભિષેક વખતની પૂજા વીતરાગ-અવસ્થાને અનુસરીને નથી હોતી, કેતુ જન્માભિષેકની વખતે મેરુપર્વત ઉપર ઈમહારાજવડે કરાયેલા અભિષેકને અનુસારે હોય છે. જેમ મેરૂપર્વત ઉપર જન્માભિષેકની વખતે તેમજ રાજ્યાભિષેકની વખતે કરાયેલા આભૂષણોની પૂજાને અંગે મુકુટ-કુંડલાદિ આરે પણ કરવામાં આવે છે. તે યાદ રાખવું કે જેવી રીતે ભગવાન જિનેશ્વરે મેરૂપર્વત ઉપર નિયમિત રીતે અભિષેકાદિ વડે પૂજાયેલા છે, તેવી જ રીતે (રેક તીર્થકરે રાજ્યકુલમાં લક્ષ્મીને અનુભવવાવાળા હોય છે, એ નિયમ હેવાથી દરેક તીર્થકરની રાજ્ય-અવસ્થા પણ ભાવવામાં આવે છે, અને તેજ રાજ્યઅવસ્થામાં મુકુટ–કુંડલાદિ નિયમિત હેય તે પણ સ્વાભાવિક છે. ' જેઓ આભૂષણ અને વસ્ત્રાદિકના નિધન અંગે દઢ કદીગ્રહવાળા થાય છે, તેઓ જણાવે છે કે અમે જન્માવસ્થા કે છધસ્થાવસ્થામાં આવતી રાજ્યવસ્થાને માનતા નથી. અમે તે માત્ર વીતરાગ-સર્વજ્ઞણુની અવસ્થાને પૂજ્ય ગણીયે છીએ. અમે શ્રામસ્યાવસ્થાને પણ પૂજય માનતા નથી. તેઓએ પ્રથમ તે ભગવાનને કેવલી અવસ્થામાં જમીનને સ્પર્શ કરવાનું માન્યું નથી, તે પછી જે કઈ પણ પ્રતિમા ભૂમિને આ. ૪
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy