SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧ લું ૪૦ અને સારા સારા ગન્ધવાળાં દ્રવ્યની અંદર ઉત્કૃષ્ટતા હોવાને લીધે જે લે વર્ણ અને ગન્ધને લીધે ઉપમા દેવા લાયક થાય. છે, તેવાં પુપથી ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવું જોઈએ. ઉપર વર્ણ અને ગન્ધ બને વસ્તુ લેવાથી સ્પષ્ટપણે સમજાશે કે ભગવાન જિનેશ્વરમહારાજને ચઢાવવાનાં ફૂલેમાં એ વાત ઉપર જરૂર ધ્યાન રાખવું જોઈએ કે એક તે ફૂલે રંગમાં સારાં હેવાં જોઈએ. અર્થાત્ જે ફૂલેને રંગ આહાદજનક ન હોય તે ફૂલે સુગન્ધવાળાં હોય તે પણ ભગવાન જિનેશ્વર મહારાજની. પૂજાના ઉપગમાં લેવાં નહિ, તેમજ જે પુપે અત્યંત સારા વર્ણવાળાં હોવા છતાં ગન્ધ રહિત હોય અગર એ અશુભ ગન્ધવાળાં હોય તે તેવાં પુપે પણ ભગવાન જિનેશ્વર મહારાજની. પૂજાના ઉપગમાં લેવાય નહિં. પુષ્પપૂજન અનેક પ્રકારે હોઈ શકે. આવી રીતે વર્ણ અને ગન્યની અપેક્ષાએ પુપિનું નિરૂપણ કરી ફૂલ ચઢાવવાને અંગે પ્રકારે જણાવવા કહે છે કે તે ફૂલે, પરેયેલાં હેય. ગુંથેલાં હોય, વાટેલાં હય, મહેમાહે નાલવડે જોડેલાં હેય ઈત્યાદિક અનેક પ્રકારનાં પુપથી ભગવાનનું પૂજન કરવું. આ ઉપરથી જેઓ “પરાયેલા ફૂલેના હારે ચઢાવવા તે ઉચિત નથી” એમ જણાવી નિષેધ કરે છે, તેઓ પૂજાની રીતિના ઘાતક બનવા સાથે અન્તરાય કરનારા બને છે એમ માનવું તે કેઈપણ પ્રકારે છેટું નથી. વધવાની વિરાધનાએ તે દ્રવ્ય-પૂજાથી વંચિત રહેવાય ! કેટલાક ભેળા લેકે મોટા મોટા આચાર્યોના નામ અગર સારા સારા ગણાતા અને લેકેમાં પંકાયેલા મહાપુરૂષનાં નામેથી વીંધાયેલાં લેના હારેને નહિં ચઢાવવા લાયક જણાવી સંઘને. દંડ કરવા જેવી અધમાધમ સ્થિતિએ પહોંચે છે.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy