________________
પુસ્તક ૩ . કરતાં સંવછરીએ પડિક્કમણું કરનારો વર્ગ ઘણે જબરદસ્ત હોય છે, અને તેનું કારણ સંવછરીની મહત્તા છે.
વળી શાસ્ત્રકારો ફરમાવે છે કે સંવછરી એ એક એ છે ખમવા અને ખમાવવાનો દિવસ છે કે જે દિવસની પછી ખમત–ખામણાનું સ્થાન નથી. વસ્તુ એવી છે કે સંવછરી ક્ય પછી તે સંવછરી પહેલાં થયેલા કલેશને અંગે જે સ્વ–પક્ષ વગેરેમાં ન ખમી લેવાય તે સાધુ અને ઉપાધ્યાય વગેરે સૂત્રદાન, ભેજન અને આલાપ–સંલાપ તે ન ખમનારની સાથે છેડી દે, પરંતુ સંવછરીને દિવસે પણ સાધુ પરસ્પરના કલેશને ખમે નહિં, અગર ખમાવે નહિં તે આચાર્ય મહારાજ પોતે પણ તે સાધુની સાથે ભજન અને સૂત્રદાન તે આગલની બે માસીઓએ ખમત ખામણું નહિં કરવાથી છેડેલા હોય અને છેવટે તે સંવચ્છરને દિવસે તે બેલવું–ચાલવું પણ બંધ કરે.
આવી રીતે શાસ્ત્રની મર્યાદાને જાણનારે સુજ્ઞ સંવચ્છરની મહત્તા સમજ્યા શિવાય રહે નહિ.
વળી બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અન્યદિવસોમાં થયેલા ગુન્હાના પ્રાયશ્ચિત્તની કમસર વૃદ્ધિ થતાં સંવ
છરીને દિવસે મૂલપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, પણ જે કદાચ સાંવત્સરિકને દિવસે અધિકરણ થાય અને તે જે તે સંવછરીને દિવસે ન ખમાવાય તે તે એક જ દિવસમાં જે મૂલનામનું સાધુઓને અપાતું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે તે આવે છે, એ વસ્તુને સમજનાર અને માનનાર મનુષ્ય સંવછરીનાં ખમતખામણની અને આલેચનાદિની મહત્તા સમજ્યા શિવાય રહેશે નહી.
ઉપરના લખાણથી સ્પષ્ટ સમજાશે કે જૈનસંઘને માટે સંવછુરીને દિવસ એજ ન્યાય અને શુદ્ધિને દિવસ ખરેખર છે.
વળી શાસ્ત્રકારની અપેક્ષાએ એ પણ એક્કસ છે કે સાધુમહાત્માઓના દીક્ષા પર્યાયની વર્ષથી ગણતરી કરવામાં સંવછરીની