SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જ સાધુ અને શ્રાવકરૂપ છે, તથા જેમાં સાધુમહાત્માના સંઘરૂપ છે, તેઓની સાથે સંવચ્છરી–પડિક્કમણું કરવાનું હોતું નથી તેઓ જે કે પોતે સંવઅછરીપડિક્કમણું પિતપતાના સમુદાયથી પિત–પિતાના સ્થાને કરે છે અને તે વખત સરવણ સમારંધર એમ કહી ખમત-ખામણાં કરે છે, તે પણ સાક્ષાત્ ખમત–ખામણી કરવાની જરૂર ગણાય છે અને તેથી સકલ સાધ્વી-શ્રાવિકાનો વર્ગ જુદાં ખમત–ખામણાં કરે છે. તેમજ ભિન્ન–સ્થાને સંવછરી પડિક્કમણું કરનાર સાધુ-શ્રાવકવર્ગ પણ તેવીજ રીતે સાક્ષાત્ ખમત–ખામણું કરે છે. આ બધી પ્રવૃત્તિનું તત્ત્વ સમજનાર અને સ્પષ્ટપણે સમજી શકશે કે સંવછરી એ એક સકલ-જીવરાશિનાતે વૈરવિરોધને ખમવાખમાવવાનું સ્થાન છે, પરંતુ ચતુર્વિધ-સકલસંઘમાં ખમત–ખામણાના જબરદસ્ત વાતાવરણને ઉત્પન્ન કરે છે. આવી રીતે સક્લ–શ્રીસંઘમાં ખમત–ખામણના એકસરખા વાતાવરણની તરફ દષ્ટિ કરનારને સહેજે માલમ પડશે કે ભગવાન જિનેશ્વર-મહારાજાદિ મહાપુરૂષોએ અદ્વિતીયપણે ખમત-બામણું કરવાને એકસરખી રીતે એક દિવસ રાખવામાં કેટલે બધે ઉપકાર કરેલ છે. આ ઉપરથી જેઓ બિચારા શ્રદ્ધાથી પતિત થયેલા અને શાસ્ત્રાજ્ઞાથી વિમુખ થયેલા પિતાને જૈન કહેવડાવવાવાળા છતાં જે બેલે છે કે ખમત–ખામણું કરવાં એટલું જ સંવછરીનું તત્ત્વ છે. પછી તે ખમત–ખામણ હાય તે ત્રીજે, હાય તે ચોથે, સ્કાય તે પાંચમે, અને હાય તે છઠને દિવસે થાઓ ! એની અડચણ નથી.” એમ કહે છે તે ખરેખર શ્રીસંઘના વાતાવરણને સમજવામાં અ–શકત નિવડયા છે, એમ એક્કસ માનવું પડે છે. સકલ–શ્રીસંઘ તે શાસ્ત્રાનુસારે એમ માનનારે હોય છે કે જો કે આ સંવછરીમાં ખમત–ખામણાં કરવાં એ મુખ્ય મુદ્દો છે. પણ તે મુદ્દો ખમત–ખામણના–વાતાવરણથી સચવાય છે અને તેવું વાતાવરણ થયા સિવાય તે ખમત–ખામણને મુદ્દો જળવાતું નથી, એટલા માટે તે શ્રીપર્યુષણું
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy