________________
૪૦
આગમત
ન થયું એટલું પાપ સમજે જેમ શાહુકારના ચેપડામાં એક પણ બેટી રકમ શેભતી નથી. તેને આખા ચોપડામાં એક પણ રકમ ખોટી હોય તે તે તેને કલંક ૫ છે. તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પોષવા રુપ હેય ત્યાં સુધી તેની તે પણ શોભાસ્પદ નથી જ નાહ્યા એટલું પુણ્ય અને કર્યો એટલે ધર્મ, એ શબ્દ જૈનશાસનમાં સાચા નથી. માટે અહી એ શબ્દને ગોખી ન રાખે, અહીં તે જો તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તે એ ગોખી રાખો કે “ન કર્યો તેટલે અધર્મ, આત્માને વીતરાગસ્વરૂપ માન્યા પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસુલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જે તમે એ રીતે મંડ્યા ન રહે તે એ તમારી મોટામાં મોટી ખામી | સમજી લેવાની છે. વીસ વસા મેળવવાના છે. તમે હજી તે પાશેરામાં પહેલ પૂણી નાખે છે, તમારે હજુ સવા વસે જ થયેલ છે. અને ૧૮ વસા તમારા બાકી જ છે. એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે; આરંભ, પરિગ્રહ, વિષય, કષાય ઈત્યાદિ આત્માને ડુબાડી રહ્યા છે, એ તમારે હંમેશાં વિચારવાનું છે.
જે પિતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે તે આત્મા પિતાને અધમ સમજે એમાં કોઈ પણ નવાઈ નથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણું, પાપ એ વિચારને સદા સર્વદા મનમાં ગોખી રાખવો જોઈએ અને તમારી બાકી ભરી કાઢી સર્વજ્ઞપણું-વિતરાગપણું મેળવવામાં સતત પ્રયત્નની શરુઆત એ જ સાચી જિંદગીની શરુઆત છે.
–આનંદ ઝરણું (ભા. ૨) પૃ. ૧૩૧ થી ૧૩૬