SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વલ્લભીપુરમાં શ્વેતાંબરની ઉત્પતિ કહેવી તે અસત્ય કેમ? ઇતિહાસ સાફ સાફ જણાવે છે કે મદ્યવાદીજીના બાલ્યકાળમાં વલ્લભીપુર કે જે કાઠિયાવાડનું મુખ્ય સ્થાન હતું તેમાં કેવળ બૌદ્ધોને પ્રચાર હતે. મહુવાદીજીની માતા કેવળ મહારાજાની બહેન હેવાને લીધે જ જૈનધર્મને પાળી શકતી હતી અને તે માતાને એકલી જૈન ધર્મની ક્રિયા કરતી દેખીને જ મલવાદીજીને સમગ્ર લેકેની ધર્મક્રિયાથી ભિન્ન ધર્મક્રિયા લાગતાં જ ધર્મકિયા સંબંધી પ્રશ્ન કરવાની જરૂર પડી, કે તું આ સર્વ લેકે કરતાં ભિન્ન ધર્મક્રિયા કેમ પાળે છે? આ ઉપરથી મલ્લવાદીજીએ બૌદ્ધોને કાઠિયાવાડમાંથી કાઢવાની પ્રતિજ્ઞા કરી અને તે મહાપુરૂષ તે પ્રતિજ્ઞા પાળવામાં ફતેહમંદ થયા, અને તેથી બૌદ્ધોને કાઠિયાવાડ છોડી દેવું પડયું અને ત્યારપછી સાતમા આઠમા શતકથી કાઠિયાવાડમાં જનધર્મની જાહેરજલાલી ચાલવા માંડી. વળી એ પણ વાત ઈતિહાસ જણાવે છે કે સ્વામીજી મહારાજ કે જેઓ વીર મહારાજની છઠ્ઠી શતાબ્દિમાં કાળ પામી ગયા તેઓ અને આર્યરક્ષિતસૂરિજી કે જેઓ અપૃથકત્વ-અનુગના પ્રવર્તક છે, અને ત્યાંજ ઘણું વિચરેલા છે, અને ભગવાન સ્વામીની વખતે કાઠિયાવાડમાં કોનું આલંબન તે શું પણ સામાન્ય દેવતાઈ પ્રવાહ પણ જૈનેને માટે એટલે બધે પ્રતિકૂળ હશે કે જેથી શાશ્વતગિરિ તરીકે મનાએલા શ્રીસિદ્ધાચલજી કે જે વલ્લભીપુર એટલે વળાની ઘણી નજીકમાં છે, તેની ઉપર પ્રતિમાજી પધરાવવામાં પણ દેવતાઈ ઉપદ્રવને પાર રહ્યો ન હતે. વળી વલ્લભીપુરની જાહોજલાલીને ઈતિહાસ વીર મહારાજની સાતમી સદી કરતાં ઘણું જ પાછળથી શરૂ થાય છે, આ વાત વલ્લભીપુરના સિક્કા વિગેરેથી શોધખોળ કરનારાઓએ સ્પષ્ટપણે જાહેર રીતે જણાવી દીધેલી છે. માટે ભગવાન મહાવીર મહારાજની સાતમી સદીમાં
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy