SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બીજુ ૧૧ વિશિષ્ટ દ્રઢ સમાસનું અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. હેપાદેયના નિરૂપણરૂપે જ્યારે વસ્તુતત્વ કહેવામાં આવે ત્યારે પુણ્યપાપ એ બને પણ અવશ્ય સ્વતંત્રપણે કહેવા જોઈએ જ. શંકા - જીવાજીવાદિ સાત પદાર્થોનું જ્યારે નિરૂપણ કરવામાં આવે છે તે પછી વીવા...મોક્ષાત્તરવમ્ એ સૂત્રમાં તરને એકવચનમાં નિર્દેશ કેમ કરવામાં આવે છે? શું અહિં સમ્યગ્ર દશન જ્ઞાનચારિત્રાણિક્ષમાર્ગ” એ સૂત્રમાં કહેલા ક્ષમા ના એકવચનના નિર્દેશને અંગે સમ્યગ દર્શનાદિ ત્રણે સમુદિત હોય તે જ જેમ મોક્ષમાર્ગ કહેવામાં આવ્યું છે, તેમ અહિં પણ છવા-જીવાદિ સપ્ત પદાર્થો ભેગા થાય તે જ તેને તત્વ કહેવાય? એ શું ઉદ્દેશ છે? એમ તે કહી શકાય તેમ નથી, કારણ કે તેમ કરવા જતાં તે અનેક દેષની આપત્તિઓ આવશે? સમાધાન-સૂત્રમાં તરન્ન પદને જે સામાન્યની મુખ્યતાવાળે એકવચનાન્ત નિર્દેશ કરવામાં આવ્યું છે, તે જીવાદિ-પદાર્થોનું નિરૂપચરિત સામાન્ય-વિશેષપણું જણાવવા માટે છે. અર્થાત અન્ય દર્શનવાળા કેઈ “સામાજવારિત-સામાન્ય જ છે. વિશેષ જેવી કઈ ચીજ છે જ નહિં એમ પ્રતિપાદન કરે છે. જ્યારે બૌદ્ધવાદી સરખા કઈ વિશેષ જ છે. સામાન્ય જેવી કઈ વસ્તુ જ નથી ઈત્યાકારક પ્રતિપાદન કરે છે, તે પ્રમાણે જન દશનનું મન્તવ્ય નથી. જિન દર્શન તે સામાન્ય તથા વિશેષ બન્નેને માનનાર છે. દ્રવ્યની અપેક્ષાએ સામાન્યની મુખ્યતા છે, વિશેષની ગૌણતા છે. પર્યાયની અપેક્ષાએ વિશેષની મુખ્યતા છે, સામાન્યની ગૌણતા છે. એ જણાવવા માટે છે. એ હેતુથી વરવર એ સામાન્ય–પ્રધાન એકવચનાન્ત નિર્દેશ કરેલે છે. કદાચ શંકા થાય કે ભલે ! તમે સામાન્ય–વિશેષ બન્નેને માને પણ તન, એ જેમ સામાન્ય પ્રધાન એકવચનાઃ નિર્દેશ કર્યો
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy